વડોદરાના ખોડિયાર નગર પાસે શ્રમિકોને લઇ જતી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની સાથે જ બસમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જો કે, બસમાં આગ લાગવાની સાથે જ શ્રમિકો સમયસર બસની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી.