અંકલેશ્વરમાં ભંગારના ત્રણથી ચાર ગોડાઉનમાં આગ લાગી હતી જેને કાબૂમાં લેવા માટે 5થી વધુ ફાયર ફાઈટરની મદદ લેવાઈ
ભંગારના ગોડાઉનમાં આગ
અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસેની ઘટના
5થી વધુ ફાયર ફાઈટર કામે લાગ્યા
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અંસાર માર્કેટની બાજુમાં આવેલા ન્યુ ઇન્ડિયા માર્કેટમાં વહેલી સવારે ભંગાર ના ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર ન્યુ ઇન્ડિયા માર્કેટમાં વહેલી પરોઢે ભંગારના ગોડાઉન આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. 5 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર હજુ સુધી મળી રહ્યા નથી. મળતી માહિતી અનુસાર અગમ્ય કારણસર આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આગના કારણે અફરા તફરીનો માહોલ
અંકલેશ્વર ડીપીએમસી જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરનો કાફલો 3 ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવાના પ્રયાસો કર્યા હતા. અડધા કલાક ઉપરાંતની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો ગોડાઉનના ભંગારના જથ્થામાં આગ લાગી હતી. જેના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હકું. આ સાથે આસપાસના ગોડાઉન સંચાલકમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સદ્દનસીબે કોઈ જાન હાનિ સર્જાઈ નથી. આગ કેવી રીતે લાગી તેને લઈને તર્ક વિતરક સર્જાયા હતા.