અમદાવાદ સાણંદની જનમ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી, હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે..
સાણંદની જનમ હોસ્પિટલમાં આગ લાગી
આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ
હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને ઉઠ્યા સવાલ
હોસ્પિટલમાં આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ સાણંદની હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.. હોસ્પિટલની ત્રણ માળની બિલ્ડના પ્રથમ માળે આગ લાગતા હોસ્પિટલમાં જેના લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. જો કે આગમાં કોઈ જાનહાનિ કે સમાચાર સામે આવ્યા નથી, આગના જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે..જો કે આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ
મહત્વનું છે કે અગાઉ પણ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે જેમાં મોટી જાનહાનિ સર્જાઈ હતી, આગના કારણે દર્દીઓના પણ મોત નિપજ્યા હતા. આગને કારણે હોસ્પિટલની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. અગાઉ જે હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી તેમા ફાયર સેફ્ટીના સાધનો અભાવ હોવાનું સામે આવ્યું છે, ત્યારે સાણંદની જનમ હોસ્પિટલમાં લાગેલી આગમાં પણ ફાયર સેફ્ટીના પુરતા સાધને છે કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ મામલે તપાસ બાદ જ માલુમ પડે છે કે હોસ્પિટલમાં પૂરતા ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં...અમદાવાદ મનપા દ્વારા ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં હોસ્પિટલો સીલ કરવાથી લઈને દંડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે અવાર નવાર હોસ્પિટલમાં લાગતી આગની ઘટનાઓને લઈને મનપાની કાર્યવાહી ઉપર પણ અનેક સલાલો ઉઠી રહ્યા છે. આજે સાણંદની નજમ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે જો કે હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.