અમરેલી જિલ્લાના ખાંભાના લાપળા ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે, આ આગ સિંહોના રહેઠાણ નજીક લગતા વનવિભાગ પણ એલર્ટ બન્યું છે
અમરેલીના ખાંભા નજીક લાપાળા ડુંગર પર આગ લાગવાનો મામલો
લાપાળા ડુંગરના કેટલાક વિસ્તારમાં હજુ પણ આગ યથાવત
હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ
લાપાળા ડુંગરના કેટલાક વિસ્તારમાં હજુ પણ આગ યથાવત
અમરેલીના ખાંભા નજીક લાપાળા ડુંગરાળ વિસ્તારમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે, સિંહોના રહેઠાણ નજીક જ આગ લાગતા વનવિભાગ પણ સાબદું બન્યું છે. જો કે, હાલ આગના કારણે વન્યજીવ પણ જોખમ ન હોવાનો વનવિભાગ દ્વારા દાવો કરાયો છે.
જિલ્લા કલેકટર, ખાંભા મામલતદાર ઘટનાસ્થળે
ઉલ્લેખનીય છે કે, લાપાળા ડુંગર પર લાગેલી આગ યથાવત છે. આ ડુંગર પરના કેટલાક વિસ્તારમાંથી આગ કાબુમાં લઈ લેવામાં આવી છે. પરંતુ હજુ આગ પર કાબુ મેળવવા હજુ તંત્ર ભારે જહેમત કરી રહી છે. ડુંગર પર આગ લાગવાની જાણ થતાં જિલ્લા કલેકટર,પ્રાંત કલેકટર,મામલતદાર વહેલી સવારે ચાર વાગ્યા સુધી ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
સિંહોના રહેઠાંણ વાળા વિસ્તારમાં આગ પ્રસરી જતા ચિંતાનો વિષય બન્યો
મહત્વનું છે કે, લપાળા ડુંગર વિસ્તારમાં સિંહ સહિત અન્ય વન્યપ્રાણીઓ વસવાટ કરે છે, સિંહોના રહેઠાંણ વાળા વિસ્તારમાં આગ પ્રસરી જતા ચિંતાનો વિષય બન્યો છે. વન્યપ્રેમીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં આ પ્રકારે અહીના ડુંગરીયાળ વિસ્તારોમાં આગ લાગતી હોય છે, જેના કારણે વન્યપ્રાણીઓ પર પણ જોખમ ઉભું થાય છે.