ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ફટાકડાના સ્ટોલમાં લાગી આગ
ફટાકડાની સ્ટોલમા અચાનક આગ લાગતા મચી દોડધામ
રોડ પર ફટાકડા ફૂટતાં લોકો ભાગવા લાગ્યા
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ફટાકડાનાના વેચાણ કરતાં સ્ટોલમાં એકાએક આગ લાગી હતી. દુકાન ફટાકડાથી ખીચોખીચ ભરી હતી, રસ્તા પર રાહદારીઑની ભીડ પણ જામી હતી તેવાની વચ્ચે કોઈ અગમ્ય કારણ સર આગ લાગતા અફરાતફરી મચી હતી. ફટાકડા સ્ટોલ પડેલો ફટાકડા રૂપી દારૂગોળો એકીસાથે સળગી ઉઠતાં મોટા અવાજ સાથે ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા.
આસપાસના લોકો અન્ય લોકોને ઘટનાસ્થળે ન જવા ચેતવી રહ્યા હતા. ફટાકડા ફૂટતા બજાર ગાજી ઉઠી હતી. તો કેટલાક લોકો બચવા માટે ભાગ્યા હતા. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પણ દુકાનદારને મોટું નુકસાન થયું છે. આગ કેમ લાગી તેના કારણો અનેક ચર્ચાઇ રહ્યા છે. દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડા સ્ટોલ તેમજ દુકાનધારક અને ફોડનારે પણ સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવું જોઈએ જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય.
ફટાકડા ફોડવા બાબતે ગુજરાત સરકારનું જાહેરનામું
દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરના મું બહાર પાડવામાં આવ્યા છે. જેને અંતર્ગત રાત્રે 8 થી લઈને 10 વાગ્યા સુધીજ ફટકાડા ફોડી શકાશે. સપ્રિમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવાને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી દરેકે લોકોએ રાતે 8 થી 10ના સમયગાળામાં ફટાકડા ફોડવા પડશે,ગ્રીન ફટાકડા તેમજ માન્યતા પ્રાપ્ત ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંઘ લાદી દેવામાં આવ્યો છે. સાથેજ ક્રિસમસ અને નૂતન વર્ષમાં રાતે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે.