મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એકાએક આગ લાગી છે. આ આગમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સાથેજ 20 થી વધું લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હોસ્પિટલમાં આઘ લાગતા 10 કોરોના દર્દીના મોત
20 થી વધું લોકો ગંભીર રીતે ઘાયલ
આઈસીયું સુધી આગ પહો જતા લોકો ચિંતામાં
Maharashtra | A total of 10 people died in a fire incident at Ahmednagar District Hospital, said District Collector Rajendra Bhosale pic.twitter.com/zrUnAMKNMj
મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એકાએક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમા કુલ 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘણા બધા લોકો આગની ઝપેટમાં આવી ગયા છે. જેમા 20 થી વધુ ગંભીર રીતે દાઝી ગયા છે. આગ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ સુધી પહોચી જવાને કારણે લોકોની ચિંતા વધી છે.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ
હોસ્પિટલ કર્મચારી તેમજ સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી છે. આગના બનાવને લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. સાથેજ આઈસીયું સુધી આગ ફેલાઈ જવાને કારણે દર્દીઓના સગા ચિંતામાં મુકાઈ ગયા છે.
6 લોકો બળીને ભડથું
આગ ઓલવાયા પચી વોર્ડની તસ્વીરો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હશે. આગને કારણે વોર્ડના બેડ પણ બળીને ખાખ થઈ ગયા છે. ઘટનામાં 10 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે 6 લોકો બળીને ભડથું થઈ ગયા છે. તેમજ 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે.