માધવને કહ્યું કે કે એ જે ફિલ્મો વિશે વાત કરે છે એને પૂરી કરવા માટે એક્ટર્સે તેનો પૂરતો સમય આપ્યો અને ખાલી 3-4 મહિનામાં નથી પૂરી કરી દીધી.
અક્ષય કુમારના એ 40-45 દિવસ વાળી વાત પર અભિનેતા આર. માધવને પણ કટાક્ષ કરી દીધો
સારી ફિલ્મોને પૂરી થવા માટે સમય લાગે છે - આર માધવન
RRR અને પુષ્પા જેવી ફિલ્મોને બનવા માટે એક વર્ષથી વધુ સમય લાગી ગયો હતો
કોરોનાની મહામારી પછી બોલિવૂડની ફિલ્મો જોવા માટે દર્શકો વધુ આતુરતા નથી દેખાડી રહ્યા. મહામારી પછી ઘણી ફિલ્મો રિલિજ થઈ ચૂકી છે પણ 2-3 ફિલ્મોને છોડીને કોઈ પણ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી નથી કરી. એવામાં જ આહલ યશરાજના બેનર નીચે આવેલ અક્ષયકુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. આ સાથે જ લોકો અક્ષય કુમારના કામ કરવાની રીતેને લઈને ગુસ્સે થયા છે. અક્ષય કુમારે માર્ચ મહિનામાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ એક ફિલ્મ માટે 40-45 દિવસ કરતાં વધુ સમય ન આપી શકે. જો કે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના ફ્લોપ થયાં પછી લોકો એ 40-45 દિવસ વાળી વાતને લઈને અક્ષય કુમારની પાછળ પડી ગયા છે. અને આ વાત આટલી આગળ વધી ગઈ છે કે અક્ષય કુમારના એ 40-45 દિવસ વાળી વાત પર અભિનેતા આર. માધવને પણ કટાક્ષ કરી દીધો છે. એમની ફિલ્મ"રોકેટ્રી- ધ નમ્બી ઇફેક્ટ' ને પ્રમોટ કરતાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સારી ફિલ્મોને પૂરી થવા માટે સમય લાગે છે.
માધવને આપ્યું અલ્લુ અર્જુનનું ઉદાહરણ
પ્રેસ ફોનફરન્સના સામે આવેલ એ વિડીયોમાં માધવને કહ્યું હતું કે RRR અને પુષ્પા જેવી ફિલ્મોને બનવા માટે એક વર્ષથી વધુ સમય લાગી ગયો હતો અને અલ્લુ અર્જુન જેવા એક્ટર્સ છે જે પ્રોજેક્ટ સામે પોતાની જાતને સરેન્ડર કરી દે છે. માધવને કહ્યું કે કે એ જે ફિલ્મો વિશે વાત કરે છે એને પૂરી કરવા માટે એક્ટર્સે તેનો પૂરતો સમય આપ્યો અને ખાલી 3-4 મહિનામાં નથી પૂરી કરી દીધી. જો કે માધવને ઇશારા-ઇશારામાં આ વાત કહી હતી પણ એમની સ્માઇલ જોઈને લોકોએ અંદાજો લગાવી દીધો કે માધવન કોની વિશે વાત કરે છે. જો કે આ વાતને લઈને સોશ્યલ મીડિયા પર લોકો પણ મજા લઈ રહ્યા છે.
અક્ષય કુમારે પણ આપ્યો મજેદાર જવાબ
આનંદ એલ રાયની સાથે એમની ફિલ્મ રક્ષા બંધન ના ઇવેંટ પર જ્યારે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે માધવનની એ કમેંટ પર એમનો શું જવાબ છે ત્યાં એમણે પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે " હું શું કહું,,ભાઈ મારી ફિલ્મ પૂરી થઈ જાય છે. એક ડાયરેક્ટર આવે અને મને કહે કે તમારું કામ પૂરું થઈ ગયું, તો હવે હું શું એની સાથે જઘડો કરું?'
જો કે ફિલ્મ રક્ષા બંધનના ડિરેક્ટરે આનંદ એલ રાયે અક્ષયની એ વાતને સપોર્ટ કરતાં કહ્યું કે "અક્ષય કુમારે લોકોને ખોટું કહ્યું હતું કે 40-45 દિવસમાં પૂરી થઈ જય છે પણ એવું નથી એમના 80-90 દિવસ ફિલ્મમાં ચાલ્યા જાય છે. અક્ષય કુમારની આવનાર ફિલ્મ રક્ષાબંધન 11 ઓગસ્ટના રિલિજ થવા જઈ રહી છે.