ભારત બંધ પૂર્વે હરિયાણાની કેટલીક સંસ્થાઓએ સોમવારે સાંજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. આ ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને ટેકો આપ્યો હતો. ખેડૂત સંગઠનોએ આ અંગે કૃષિ પ્રધાનને એક નિવેદન પણ રજૂ કર્યું હતું, જેમાં નવા કાયદા રદ ન થાય તેવી માંગણી કરી હતી.
હરિયાણાના પ્રગતિશીલ ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓએ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યા હતા. આ સંગઠને જણાવ્યું હતું કે નવા કાયદામાં ખેડૂતો ના સૂચનોનો સમાવેશ કરીને કાયદાઓને ચાલુ રાખવા જોઈએ. PFO અને પ્રગતિશીલ ખેડૂતોની સંસ્થાએ કહ્યું કે અમે MSP અને મંડી પ્રણાલીને ચાલુ રાખવાના પક્ષમાં છીએ.
दिल्ली: कृषि कानूनों का समर्थन करने के लिए आज मुख्य रूप से हरियाणा के 20 किसानों का एक प्रतिनिधिमंडल केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर से मिला। pic.twitter.com/bVgi69IQlk
જે વિરોધ કરી રહ્યા છે, તેઓ ગેરમાર્ગે દોરાયેલા છે : હરિયાણાના ખેડૂતો
આ ખેડૂત સંગઠનોએ કૃષિ પ્રધાનને કહ્યું હતું, પરંતુ અમે તમારી પાસેથી માંગણી કરીએ છીએ કે આ કાયદાઓને ખેડૂતો ના સૂચનોનો સમાવેશ કરીને ચાલુ રાખવું જોઈએ. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સોનીપતનાં પ્રગતિશીલ ખેડૂત સંગઠનના પ્રમુખ કંવલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ખાતરી આપી છે કે MSP અને માર્કેટ સિસ્ટમ રહેશે.
હરિયાણાના ખેડૂતો એ કૃષિ પ્રધાનને પત્ર આપ્યો
હરિયાણાની આ ખેડૂત સંગઠનો સાથેની મુલાકાત દરમિયાન કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાયદા દ્વારા અને અન્ય યોજનાઓ દ્વારા ખેતી ક્ષેત્રે ખાનગી રોકાણ લાવી શકે છે. કૃષિ ક્ષેત્રે આવક વધારવી જરૂરી છે. કૃષિ કાયદાઓ ખેડૂતોના હિત માટે છે. આ કાયદાઓ અને યોજનાઓ દ્વારા ખાનગી રોકાણના માર્ગ ખોલવામાં આવે છે. આનાથી ખેડુતોનો વિકાસ થશે. ખાનગી રોકાણથી રોજગાર વધશે.