પાલનપુરમાં પ્રથમ વખત ચૌધરી સમુદાયનો અર્બુદા શક્તિપીઠ ખાતે 3થી 5 ફેબ્રુઆરીએ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેના ભાગ રૂપે ગામે ગામથી અહીંયા ચૌધરી સમુદાયના લોકો પગપાળા યાત્રા કરી પહોંચી રહ્યા છે
ચૌધરી સમુદાયનો મહોત્સવ યોજાશે
3થી 5 ફેબ્રુઆરીએ મહોત્સવ યોજાશે
પાલનપુરના અર્બુદા શક્તિપીઠે મહોત્સવ યોજાશે
પાલનપુરમાં પ્રથમ વખત ચૌધરી સમુદાયનો અર્બુદા શક્તિપીઠ ખાતે મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેના ભાગ રૂપે ગામે ગામથી અહીંયા ચૌધરી સમુદાયના લોકો પગપાળા યાત્રા કરી પહોંચી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી અવિરત હજારો ચૌધરી સમાજના લોકો પોતાના રથ સાથે મોટા પ્રમાણમાં પગપાળા પાલનપુર શક્તિપીઠ અર્બુદાધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે આજે 30થી વધુ ગામના 25 હજાર જેટલા લોકો પગપાળા પાલનપુર અર્બુદા ધામ ખાતે પહોંચ્યા હતા.
ચૌધરી સમુદાયનો યોજાશે મહોત્સવ
આગામી ફેબ્રુઆરીમાં ત્રણ દિવસીય મહોત્સવને લઈને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યમાંથી ચૌધરી સમાજના લોકો પાલનપુર દર્શનાથે આવશે ત્યારે અર્બુદા માતાજીનાં આ યોજનારા રજત જયંતિ મહોત્સવને લઈને અત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે. બનાસકાંઠાનાં ગામડામાંઓમાંથી ચૌધરી સમાજના યુવાનો બાળકો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં અર્બુદા માતાજીનાં સંઘ સાથે પાલનપુર અર્બુદા ધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે.
3થી 5 ફેબ્રુઆરીએ યોજાશે મહોત્સવ
ફેબ્રુઆરી માસની ત્રણ ચાર અને પાંચ તારીખે પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે અર્બુદા મહોત્સવ યોજાશે. જેમાં અલગ અલગ પ્રાંતોમાંથી ચૌધરી સમાજના લોકો દર્શનારથી આવશે. પાપ્ત માહિતી મુજબ અંદાજે 15 લાખ જેટલા લોકો આ મહોત્સવમાં ભાગ લેશે અને મા અર્બુદાના દર્શન કરશે. બનાસકાંઠા ચૌધરી સમાજ દ્વારા ગોળ અને ઝલા પ્રમાણે અર્બુદા માતાજીનો રથ લઈને પદયાત્રા કરીને પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે આવી રહ્યાં છે. ત્યારે પોતાના રથ સાથે બનાસકાંઠામાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો પારંપારિક વસ્ત્રો સાથે ગરબા રમતા મા અર્બુદા શક્તિપીઠ ખાતે આવી રહ્યા છે. અલગ અલગ રાજ્યોમાંથી આવનાર લોકો દર્શન કરી શકે તે માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
માતાજીના યજ્ઞનું આયોજન કરાયું
છેલ્લા 15 દિવસથી અવિરત હજારો ચૌધરી સમાજના લોકો પોતાના રથ સાથે મોટા પ્રમાણમાં પગપાળા પાલનપુર શક્તિપીઠ અર્બુદા ધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે આજે 30થી વધુ ગામના 25 હજાર જેટલા લોકો પગપાળા પાલનપુર મા અર્બુદાના ધામ ખાતે પહોંચ્યા હતા. રજત જયંતિ મહોત્સવ માતાજીના સહસ્ત્ર 108 કુંડી યજ્ઞની સાથે સાથે સમગ્ર દેશમાં ભાઈચારો સુખ શાંતિ બની રહે સમાજ વ્યસન મુક્ત થાય સમાજની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય કુરિવાજો દૂર થાય તે ઉદ્દેશથી માતાજીના આ યજ્ઞનું આયોજન કરાયું છે.