ઈન્ડિયા-ન્યુઝીલેન્ડ બંને સીરિઝ માટે પ્લેઇંગ 11 ની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં હાર્દિક પંડ્યા ટી-20માં કેપ્ટનશિપ કરશે જ્યારે શિખર ધવનને વનડે સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
જાડેજા જેવા જ ઓલરાઉન્ડરને ટીમ ઈન્ડિયામાં મળ્યો મોકો
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે વોશિંગ્ટન સુંદર
ટી20 વર્લ્ડ કપ બાદ હવે ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ ટુર પર નીકળી પડી છે અને ન્યુઝીલેન્ડ સીરીઝની શરૂઆત 18 નવેમ્બરથી થઇ રહી છે. આ શ્રેણીમાં ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચ રમાશે. ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 18 નવેમ્બરથી 3 મેચની ટી20 સીરીઝ શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે 3 વનડે રમાશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના સિલેક્ટરો એ પણ આ બંને સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યા ટી-20માં કેપ્ટનશિપ કરશે જ્યારે શિખર ધવનને વનડે સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે આ ટીમમાં રવિન્દ્ર જાડેજા જેવા મજબૂત ઓલરાઉન્ડરને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
જાડેજા જેવા જ ઓલરાઉન્ડરને ટીમ ઈન્ડિયામાં મળ્યો મોકો
રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપ 2022થી ટીમ ઈન્ડિયાની બહાર થયો હતો અને તે T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ નહોતો. જો કે હવે જાડેજા હવે બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે પણ હાલ જાડેજા જેવા જ સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ન્યૂઝીલેન્ડ ટુર માટે તક મળી છે. જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદર પણ જાડેજાની જેમ બેટિંગ અને બોલિંગ બંને માટે જાણીતો છે.
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે વોશિંગ્ટન સુંદર
જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે અને ટીમ ઈન્ડિયા માટે 4 ટેસ્ટ મેચમાં 265 રન અને 6 વિકેટ ઝડપી છે. આ સાથે જ 6 ODI અને 31 T20 મેચ પણ રમી છે અને T20 મેચોમાં વોશિંગ્ટન સુંદર નીચલા ક્રમમાં બેટિંગ કરતા 47 રન અને બોલિંગમાં 25 વિકેટ ઝડપી છે. વોશિંગ્ટન સુંદર પાસે આ ન્યુઝીલેન્ડ ટુર પર શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની આ એક સારી તક છે.