વડોદરામાં પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા, પતિએ પત્નીના ત્રાસથી પગલું ભર્યું હોવાનું આવ્યું સામે, પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બાપોદ પોલીસે તપાસ હાથ ધરી.
વડોદરામાં પિતાએ પુત્રની કરી હત્યા
પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યા
પત્નીના ત્રાસથી કંટાળી હત્યા અને આત્મહત્યા
વડોદરાના બાપોદથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. બાપોદ ગામના વુડાના મકાનમાં એક પિતાએ લાચારીમાં પોતાના પુત્રની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો છે. હાલ બાપોદ પોલીસે પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
11 વર્ષના પુત્રને ગળેફાંસો આપી કરી હત્યા
વડોદરાના બાપોદ ગામના વુડાના મકાનમાં અરેરાટીભર્યો બનાવ બન્યો છે. જેમાં પિતાએ 11 વર્ષના પુત્રને ગળેફાંસો આપી હત્યા કરી હતી. બાદમાં પિતાએ પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પતિએ પત્નીના ત્રાસથી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
પતિએ પત્નીના ત્રાસથી પગલું ભર્યું હોવાનું આવ્યું સામે
પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે તેમની પત્ની બંગલામાં ઘરકામ કરવા જતી હતી. તેમને લગ્ન જીવનમાં 11 વર્ષનો પુત્ર હતો. ત્યારે પિતાએ લાચાર બનીને પોતાના પુત્રની હત્યા કરી હતી. એટલુ જ નહિ, ગળે ફાંસો ખાતા પૂર્વે પતિ એક ચિઠ્ઠી પણ છોડી હતી. જેમાં પત્નીના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
જેમાં લખ્યુ હતું કે, 'મારા ગયા પછી પુત્રની કાળજી ન લેવાય તે માટે તેને પણ સાથે લઈ જઉં છું. મિત્રોએ મને લોન લઈને પૈસા આપ્યા છે, રીક્ષા વેચી પૈસા કરત કરજો.' હાલ પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાપોદ પોલીસે સમગ્ર પ્રકરણ મામલે તપાસ હાથ ધરી છે.