જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના એક ખેડૂતે પાકમાં આવતા રોગને રોકવા માટે અર્ક તૈયાર કર્યો છે, જે પાકને જીવાતના આક્રમણ સામે બચાવવાની સાથે જમીનને પણ ફળદ્રુપ બનાવે છે.
જેતપુરના ખેડૂતની અનોખી શોધ
ખેતી માટે તૈયાર કર્યો કુદરતી અર્ક
વિવધ વનસ્પતિમાંથી તૈયાર કરે છે અર્ક
ખેતી પાકોમાં બેરોકટોક છાંટવામાં આવતી રાસાયણિક દવાઓ હવે માનવ શરીર માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ખેતીમાં પેસ્ટિસાઈડ્સના ઉપયોગના કારણે કેન્સર જેવા રોગનું પ્રમાણ વધવાની સાથે જમીન પણ બીનઉપજાઉ બની રહી છે. એવામાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના એક ખેડૂતો પાકમાં આવતા રોગ સામે રક્ષણ માટે એક અર્ક તૈયાર કર્યો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ અર્ક આશિર્વાદ સમાન બની રહ્યો છે.
બોરડી સમઢીયાળામાં ખેડૂતે પાકમાં આવતા રોગને રોકવા માટે અર્ક તૈયાર કર્યો
ખેતી પાકોમાં બેફામ છંટાતી રાસાયણીક દવાઓ જમીન અને મનુષ્યના શરીરને ખતમ કરી રહી છે. પેસ્ટિસાઈડ્સનો અમર્યાદિત ઉપયોગ કેન્સર જેવા ગંભીર રોગોને આમંત્રણ આપે છે. એવામાં સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. રાજ્યમાં કેટલાયે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પરંતુ વાત જ્યારે પાકમાં આવતી જીવાત અને બગાડની આવે છે ત્યારે ખેડૂતો લાચાર બની જાય છે. ત્યારે જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના એક ખેડૂતે પાકમાં આવતા રોગને રોકવા માટે અર્ક તૈયાર કર્યો છે. જે પાકને જીવાતના આક્રમણ સામે બચાવવાની સાથે જમીનને પણ ફળદ્રુપ બનાવે છે.
રાસાયણિક દવાના સ્થાને વાપરી શકાય અર્ક
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના ખેડૂત રાજુભાઈ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. પરંપરાગત ખેતી ચોડી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પાકમાં આવતા રોગ અને જીવાત સામે રક્ષણ માટે તેમણે પોતાની કોઠાસુજથી દેશી અર્ક તૈયાર કર્યો છે. જે કીટ નીયંત્રણ કરવાની સાથે વાયરસ સામે પણ પાકને રક્ષણ આપે છે. રાજુભાઈએ પોતાના ખેતરમાં આંકડો, લીમડો, સીતાફળી, સફેદ અને કાળો ધતુરો, તુલસી સહિતની વનસ્પતીનું વાવેતર કર્યું છે. આ વનસ્પતીઓ અને ગાયનું ગોબર તેમજ ગૌમૂત્ર સહિતની વસ્તુઓ લઈ તેઓ અર્ક તૈયાર કરે છે જે ખેતીમાં ખુબ જ ઉપયોગી બની રહ્યું છે.
કિટનાશક અને જમીનને ફળદ્રુપ બનાવે છે અર્ક
રાજુભાઈ પોતાના ખેતરમાં વાવેલી ઔષધીઓને જાતે જ પ્રોસેસ કરે છે અને વિવિધ અર્ક બનાવે છે. આ અર્ક તેઓ ખેડૂતોને સામાન્ય ભાવે આપે છે. ગામમાં ફરીને તેઓ ખેડૂતોને ગાય આધારિત ખેતીથી થતા ફાયદા પણ સમજાવે છે. રાજુભાઈના પ્રયત્નો બાદ હવે ગામના અન્ય ખેડૂતો પણ આ અર્ક વાપરતા થયા છે અને તેનાથી ફાયદો થતો હોવાનું જણાવી રહ્યા છે.
પ્રકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આશિર્વાદ
બુધવારે નાણામંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું જેમાં ખેતી ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર ભરપુર પ્રયત્ન કરી રહી છે. બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે 10 હજાર બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવાની જાહેરાત કરવામા આવી સાથે જ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે પીએમ પ્રણામ યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જો કે, ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતીને અપનાવતા થયા છે ત્યારે જેતપુર તાલુકાના નાના એવા ગામડાના ખેડૂતની આ શોધ પ્રકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આશિર્વાદ સમાન સાબિત થઈ રહી છે.