ગીર-સોમનાથમાં એક એવા ખેડૂત જે ખેતી તો કરે જ છે. સાથે વાંચનનો પણ શોખ છે.
ખેડૂતને પુસ્તકો વાંચવાનો ગજબ શોખ
ઉકાભાઇએ વાંચ્યા 7 હજાર પુસ્તકો
ઘરનો રૂમ બની ગયો છે લાયબ્રેરી
એક ખેડૂતના અનોખા શોખ અંગે વાત કરવાની છે. કારણ કે, આપણી નજરોમાં તો ખેડૂત એટલે કે, ખેતર અને ખેતરમાં હળ ચલાવતો વ્યક્તિ. પરંતુ એક એવા પણ ખેડૂત છે. જે ખેતી તો કરે જ છે. સાથે વાંચનનો પણ શોખ છે. એવું વાચન કે, ઘરે હજારો પુસ્તકોની લાયબ્રેરી બનાવી નાખી અને હજારો પુસ્તકો વાચી પણ નાંખ્યા છે. ત્યારે કોણ છે.
ખેડૂત...શબ્દ સંભળાય એટલે આપણા મનમાં ખેતરમાં ખેડ કરતો, તુટેલા ફાટેલા કપડે કામ કરતો કે, ખેતરમાં હળ ચલાવતો વ્યક્તિની નજર સામે ફરવા લાગે. પરંતુ એ જ ખેડૂત વર્ષોથી ઈતિહાસના એક-એક પન્ના ફેરવી ચૂક્યો હોય તેવું સાંભળ્યું છે. ? નહીં જ સાંભળ્યું હોય, તો જરા ગીર સોમનાથ જિલ્લાના આંબાવડ ગામના ઉકાભાઈ વઘાસિયાને જોઈ લો.
ઉકાભાઈ 75 વર્ષના થઈ ચૂક્યા છે. તેમને જોતા એક વૃદ્ધ અને દેશી માણસની પ્રતિતિ થતી હશે. આજે પણ ખેતી કરી મહેનતનો રોટલો ખાય છે. પરંતુ તેમની અંદર જ્ઞાનનો ખજાનો ભર્યો છે. કારણ કે, તેઓ પોતાના 75 વર્ષના જીવનમાં 7 હજાર થી વધુ જુદ-જુદા પુસ્તકો વાચી ચૂક્યા છે.. નવાઈની વાત તો ત્યાં લાગશે કે, ઉકાભાઈ માત્ર 3 ધોરણ સુધી જ ભણ્યા છે.
ઉકાભાઈ વિશે વાત કરવામાં આવે તો, તેમને બાળપણથી વાંચનનો શોખ છે. તેઓ પેલા ધોરણમાં વાચતા શિખ્યા ત્યારથી લઈને આજ સુધી તેઓ વિવિધ પુસ્તરો વાચતા આવ્યા છે. તેમનો વાચનનો શોખ તેમના ઘરની લાયબ્રેરી બીની ગયો. કારણ કે, આજે તેમના ઘરમાં પુસ્તરો મુકવા માટે પણ કબાટ ખૂટી ગયા છે.
પોતાનો ઓરડો પુસ્તકોથી છલકાઈ જતા હવે પોતાની ઓસરિમાં નવા પુસ્તકોની લાયબ્રેરી બનાવી છે. 1958થી લઈને આજ સુધીમાં તેઓએ 7 હજારથી વધુ પુસ્તક વાંચ્યા છે. આ પુસ્તકોમાં ન માત્ર ભારતના જ પુસ્તકોનો સમાવેશ થાય છે. પરંતુ અમેરિકા સહિતના દેશોના પુસ્તકો અને તેનો ઈતિહાસ તેઓ જાણે છે.