એક તરફ દિલ્લીમાં છેલ્લા મહિનાઓથી કૃષિ કાયદાનો વિરોધ કરી કેન્દ્ર સરકાર સામે ખેડૂતો મોરચો માંડીને બેઠા છે,ત્યારે ગુજરાતના સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાંથી એક ખેડૂત કૃષિ કાયદા અંગે નારાજગી દર્શાવવા અનોખી રીતે દિલ્લી જઈ રાષ્ટ્રપતિને મળશે.
એક જ વાત,કાયદો રદ્દ કરો
કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાઓની કેટલીક શરતો રદ કરવા મુદ્દે ખેડૂત આંદોલન ચલાવી રહેલા રાકેશ ટીકેંત સહિતના ખેડૂત આગેવાનો વિરોધ કરી લાંબા સમયથી દિલ્લીની બોર્ડર પર મોરચો માંડીને બેઠા છે ત્યારે, સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના ખેડૂત હરેશ પૂજારાએ દિલ્લી સુધી સાયકલ યાત્રા કરી,રાષ્ટ્રપતિને મળવાની હામી ભરી છે. ચોટીલાના હરેશ પૂજારા રાષ્ટ્રપતિને મળીને કૃષિ કાયદો જ રદ કરવાની માગણી કરશે.ચોટીલાથી દિલ્લી સુધીનું અંદાજે 1350 કિલોમીટરનું અંતર કાપી કૃષિ કાયદાનો નવતર વિરોધ કરવા જઈ રહેલા હરેશ પૂજારા 29 સપ્ટેમ્બરે ચોટીલાથી પહોંચશે
કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો -કેન્દ્ર આમને-સામને
દિલ્લીની બોર્ડર પર પંજાબ હરિયાણા અને રાજસ્થાન,ઉત્તર પ્રદેશના ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે.પરિણામે, કેન્દ્ર સરકાર દુવિધામાં મુકાઈ ગઈ છે , એક તરફ હરિયાણામા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને હૂડા સામસામે છે તો પંજાબનાં મુખ્યમંત્રી કૈપ્ટન અમરિંદર સિઘ અને હરિયાણા સરકાર વચ્ચે પણ મત-મતાંતર છે. કેન્દ્ર સરકારે,ખેડૂત આંદોલન કારી નેતાઓ સાથે મેરેથોન બેઠક/ ચર્ચાઓ કરી છતાં કોઈ જ નિષ્કર્ષ આવ્યો નથી. ખેડૂત આંદોલનના નેતાઓ હવે આ જ મુદ્દો લઇ કેન્દ્ર સરકાર સામે ઉતર પ્રદેશ / પંજાબ વિધાનસભા ચૂટણીમા મોરચો માંડવાની પૂર્વ ઘોષણા કરી ચુક્યા છે