દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. ભગવાનના દર્શન કરવા સહિત અનેક સંકલ્પો સાથે આજે લાખોની જનમેદની કૃષ્ણજન્મોત્સવ ઉજવવા દ્નારકા પહોંચી
દ્વારકામાં મુંબઈના એક પરિવારનો અનોખો સંકલ્પ
100 વર્ષ સુધી જગતમંદિરે ધજા ચડાવવાનો સંકલ્પ
સંઘાણી પરિવાર સતત 15માં વર્ષે ધજા સાથે દ્વારકા પહોંચ્યો
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.. આજનો આ અવસર ખૂબ અનેરો છે. ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઇને ભક્તોમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારિકાધીશના દર્શને તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. આ એક એવો અવસર છે જ્યારે ભક્તો ભગવાન કૃષ્ણના બાળસ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અનેક લોકો આ દિવસને કંઇ અનોખી રીતે ઉજવે છે. ત્યારે આજે વાત કરીએ આવા જ એક પરિવારની જેઓએ જન્માષ્ટમીને લઇને અનોખો સંકલ્પ કર્યો છે.
100 વર્ષનો ધજા ચઢાવવાનો સંકલ્પ
જી, હા દ્વારકામાં મુંબઇના એક પરિવારે અનોખો સંકલ્પ કર્યો છે. 100 વર્ષ સુધી જગતમંદિરે ધજા ચઢાવવાનો સંકલ્પ કર્યો છે. જે અન્વયે તેઓ આજે પરિવાર આખો દ્વારકા આવી પહોંચ્યા હતા. સંઘાણી પરિવાર દ્વારા સતત 15માં વર્ષે ધજા સાથે દ્વારકા પહોંચ્યો છે. મુંબઇનો સંઘાણી પરિવાર દર જન્માષ્ટમીએ મંદિર પર ધજા ચઢાવે છે. ત્યારે વીટીવી ન્યૂઝ સાથે તેઓએ વાત કરતા જણાવ્યું કે આવો અનેરો અવસર દર વર્ષે આપતા રહે. અમે બે વર્ષ કોરોનાને કારણે ચૂકી ગયા. પરંતુ હવે આ જે અવસર મળ્યો છે તેનાથી ધન્યતા અનુભવી રહ્યા છીએ.
52 ગજની ધજા
આ પ્રસંગે પરિજનોએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા. 100 વર્ષ ધજા ચઢાવવાનો લ્હાવો મળ્યો છે. કૃષ્ણ જન્મોત્સવને દ્વારકાધીશના સાંનિધ્યમાં જ ઉજવીશું.તેમ જણાવ્યુ હતું.
શાસ્ત્રીજીએ ધજાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આ ધજા ચઢાવવાની પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. વિષ્ણુયાગ યજ્ઞ જેટલુ જ પુણ્ય મળે છે. ભગવાનની પાંખ છે. 52 ગજની ધજા ચઢાવવાનો અવસર મળ્યો છે.