JRD Tata એ દેશની પહેલી એરલાઇન્સ Tata Air Serviceની શરૂઆત કરી હતી જે હાલ Air India તરીકે ઓળખાય છે.એ સમયે એરલાઇન્સની પહેલી ફ્લાઇટ JRD Tata એ પોતે ઉડાવી હતી
JRD Tata પોતે 1929માં ભારતના પહેલા લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ બન્યા હતા
15 વર્ષની ઉંમરમાં જોયું હતું આ સપનું
કેવી રીતે બનાવ્યું એર ઈન્ડિયા?
જ્યારે એર ઈન્ડિયામાંથી કરવામાં આવ્યા બહાર
ભારતના સૌથી મોટા બિઝનેસ હાઉસ એક ટાટા પરિવારમાં જન્મેલા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રતનજી દાદાભાઈ ટાટા અને સુઝાન બ્રિયરના પુત્ર હતા જહાંગીર ટાટા. જણાવી દઈએ કે એમની માતા કાર ચલાવનાર ભારતની પ્રથમ મહિલા હતા અને JRD Tata પોતે 1929માં ભારતના પહેલા લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ બન્યા હતા. જહાંગીર રતનજી ટાટા એટલે કે જેઆરડી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાટા મોટર્સ, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સોલ્ટ, વોલ્ટાસ અને એર ઇન્ડિયા સહિતના ટાટા જૂથના ઉદ્યોગોના સ્થાપક તરીકે પણ જાણીતા છે. જણાવી દઈએ કે 1983 માં તેમને ફ્રેન્ચ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા અને 1955 પદ્મ વિભૂષણ અને 1992 માં તેમને ભારત રત્ન એમ ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો મળ્યા હતા. આ સન્માન જહાંગીર રતનજી ટાટાને ભારતીય ઉદ્યોગમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યા હતા.
15 વર્ષની ઉંમરમાં જોયું હતું આ સપનું
JRD Tata એ દેશની પહેલી એરલાઇન્સ Tata Air Serviceની શરૂઆત કરી હતી જે હાલ Air India તરીકે ઓળખાય છે. જણાવી દઈએ કે એ એરલાઇન્સની પહેલી ફ્લાઇટ JRD Tata એ પોતે ઉડાવી હતી અને એમને 10 ફેબ્રુઆરી 1929ના રોજ ભારતનું પહેલું કોમર્શિયલ એવિએટરનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. એક ઇંટરવ્યૂ 15 વર્ષની ઉંમરે JRD Tata આ વસ્તુનું સપનું જોયું હતું. એમને આગળ જણાવ્યું હતું કે એ સમયે તેઓ ફ્રાન્સમાં રહેતા હતા ત્યારે તેઓ તેમના પાડોશી અને કોમર્શિયલ પાઇલટ લુઈસથી તેઓ ઘણા પ્રભાવિત હતા. ત્યારથી એમને પાઈલટ બનવાનું નક્કી કર્યું હતું અને એમને પોતાનું સપનું પૂરું કર્યું અને એમની સફળતાએ દેશમાં પ્રથમ એરલાઇન્સની શરૂઆતનો પાયો નાખ્યો હતો.
કેવી રીતે બનાવ્યું એર ઈન્ડિયા?
એર ઈન્ડિયાને JRD Tata એ 1932માં ટાટા એરલાઈન્સના નામથી લોન્ચ કર્યું હતું અને 1946માં તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું હતું. આઝાદી પછી 1954 માં ભારત સરકારે JRD Tata પાસેથી એર ઈન્ડિયાને ખરીદી અને તેનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને આ પછી ડોમેસ્ટિક સર્વિસ માટે ઈન્ડિયન એરલાઈન્સ અને વિદેશી માટે એર ઈન્ડિયાની રચના થઈ હતી. JRD Tata શરૂઆતથી જ કંપનીના ચેરમેન રહ્યા હતા.
જ્યારે એર ઈન્ડિયામાંથી કરવામાં આવ્યા બહાર
વર્ષ 1978 માં મોરારજી દેસાઈની સરકારે અચાનક જ તેમને એર ઈન્ડિયાના ચેરમેન પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. તેઓ 1953થી આ પદ પર હતા અને તે સમયે ઈન્દિરા ગાંધી સત્તાની બહાર હતા. એ સમયે એમને પત્ર લખીને જેઆરડીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તેમની સેવાઓ માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે. જો કે આટલું જ નહીં 1980માં સત્તામાં આવ્યા બાદ ઈન્દિરા ગાંધીને ફરીથી ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયાના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.
4 દેશોમાંથી કર્યો હતો અભ્યાસ
JRD Tataએ 4 દેશોમાંથી અભ્યાસ કર્યો હતો જેમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ભારત અને જાપાનનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે એમની પાસે ફ્રાન્સની નાગરિકતા પણ હતી તેના કારણે એમને એક વર્ષ સુધી ફ્રેન્ચ આર્મીમાં પણ સેવા આપી હતી. એ પછી તેઓ 1925માં ભારત પાછા ફર્યા હતા અને દેશને એવિએશન સેક્ટરમાં નવી ઉંચાઈઓ પર લઈ ગયા ગયા હતા. 19 નવેમ્બર 1993 ના રોજ, કિડનીના ઇન્ફેકશનની સમસ્યાને કારણે 89 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.