પાટણના રાધનપુરમાં એક વૃદ્ધની જીવતા સમાધી લેવાની જીદ કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે વૃદ્ધની પત્નિ મૃત્યું પામતા વૃદ્ધે જીવતા સમાધિ લેવાનું નક્કી કર્યું હતું. પોલીસ દ્વારા વૃદ્ધને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ વૃદ્ધ ન માનતા પોલીસ વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
પાટણ જીલ્લાનાં રાધનપુરમાં એક વૃદ્ધની જીવતા સમાધી લેવાની જીદ કરી હતી. ત્યારે સવારે વૃદ્ધની પત્નિનું નિધન થતા વૃદ્ધે જીવતા સમાધી લેવાની જીદ કરી હતી. પતિ-પત્નિએ આજીવન સાથે રહેવાનાં કોલ લીધા હતા. સમાધિની વાત સમગ્ર વિસ્તારમાં પ્રસરતા લોકો ભેગા થયા હતા. વૃદ્ધનાં દિકરાઓએ પિતાને સમાધિ ન લેવા સમજાવ્યા. ત્યારે આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વૃદ્ધનાં નિર્ણય પર રોક લગાવવા કહ્યું હતું. રાધનપુર પોલીસ અને દેવીપુજક સમાજનાં આગેવાનો સાથે મંત્રણા ચાલી રહી છે. કાયદાની જોગવાઈ પ્રમાણે જીવતા સમાધિ લેવી તે ગુનાને પાત્ર છે.
પોલીસ વૃદ્ધને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ
પાટણ જીલ્લાનાં રાધનપુરમાં એક વૃદ્ધની પત્નિનું સવારે નિધન થતા વૃદ્ધ દ્વારા પણ જીવતા સમાધી લેવાની જીદ પકડી હતી. ત્યારે આ અંગેની જાણ રાધનપુર પોલીસને થતા રાધનપુર પોલીસે તેમજ દેવીપુજક સમાજનાં આગેવાનો વચ્ચે મંત્રણા ચાલી હતી. જે બાદ પણ વૃદ્ધ ટસનાં મસ ન થતા તેઓએ સમાધિ લેવાની જીદ કરતા રાધનપુર પોલીસ જીવાભાઈ જગસીભાઈ વાવરિયા દેવીપૂજકને પોલીસ વાનમાં બેસાડી રાધનપુર પોલીસ સ્ટેશન લાવ્યા હતા.
વૃદ્ધે કહ્યું કે ભગવાન બધુ ભલુ કરશે..પણ તારી માં જાશે એટલે હું એની જોડે બેસી જઈશઃ પુત્ર નારણભાઈ
આ બાબતે વૃદ્ધાનાં પુત્ર નારણભાઈએ જણાવ્યું હતું કે, મારા માતાજી ગત રોજ મૃત્યું પામ્ચા છે. ત્યારે મારે હવે જાઉ છે. મને જવા દો તેમ કહેતા હતા. જે બાદ અમે તેમને સમજાવ્યા કે સરકાર તેમજ કાનુન કાયદાનો દોષ લાગે. તેમ કહેતા વૃદ્ધે જણાવ્યું હતું કે ભગવાન બધુ ભલુ કરશે. પણ તારી માં જાશે એટલે હું એની જોડે બેસી જઈશ. પછી તમે જે કરવું હોય તે કરજો.