ભૂતકાળમાં પશુ પક્ષીઓ બાદ હવે અમદાવાદ એરપોર્ટના રનવે પર શ્વાનના આટાફેરાનો વિડીયો સામે આવતા ઓથોરિટી લોક રોષનો ભોગ બની છે.
અમદાવાદના એરપોર્ટ પર પણ દેખાયો શ્વાન
ઓથોરિટી દ્વારા તાત્કાલિક બહાર કઢાયો
ઓથોરિટીની કામગીરી સામે સો મણનો સવાલ
અમદાવાદની શેરી ગલીઓમાં જોવા મળતા શ્વાનનો ત્રાસ હવે શહેરના એરપોર્ટમાં પણ દેખાયો હતો. એરપોર્ટના રનવે પર શ્વાન આટા મારતો જોવા મળતા ઓથોરિટી દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો. સ્વાનને રનવે પરથી હટાવવા માટે ઓથોરિટીની ચાર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર ટીમની જહેમત બાદ કૂતરાને રનવે પર જતો અટકાવી લેવામાં આવ્યો હતો. બીજી તરફ રન વે ઉપર જતા કુતરાનો વિડીયો વાયરલ થતા ઓથોરિટીની કામગીરી સામે સો મણનો સવાલ ઉભો થયો છે.
અગાઉ પણ સામે આવી છે બેદરકારી
મહત્વનું છે કે અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ ફાઈટ પણ આવે છે. પરંતુ ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે રનવે પર ઘણી વખત પક્ષીઓ તો ઘણી વખત રખડતા ઢોર અને અનેક વખત વાંદરાઓના ત્રાસ પણ સામે આવતા હોય છે. ભૂતકાળમાં વાંદરાના કારણે ફ્લાઇટના શેડ્યુલમાં ફેરફાર કરવાની પણ નોબત આવી હતી. હવે રનવે પર કૂતરું જોવા મળતા ફરી એરપોર્ટની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે જોકે સત્તાવાળાને સમયસર રાવને પગલે કુતરાને દૂર કર્યો હતો. પરંતુ આ સંવેદનશીલ બાબત પર આ રીતે ગંભીર બેદરકારીને લઈ અને લોકોમાં રોષ ફેલાયો છે.
બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીને બદલે સાત નાગરિકો તેની ફ્લાઈટ ચકી ગયા હોવાની પણ રાવ ઉઠી હતી. લોકો અમદાવાદથી મુંબઈ થઈ અમેરિકા જઇ રહ્યા હતા આ દરમિયાન એરપોર્ટ સ્ટાફે બેદરકારી અને ગેરમાર્ગે દોરતા તેઓ અન્ય ટર્મિનલ પર પહોંચી ગયા હતા જેના કારણે પોતે ફ્લાઈટ ચુકી ગયા હોવાનો પણ આરોપ લાગી રહ્યા છે.