દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પુનાવાલાને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આજે રિમાન્ડ પૂરા થતા દિલ્હી પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે પોલીસની વધુ રિમાન્ડની માગ મંજૂર રાખીને તેને 10 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
28 નવેમ્બરે આફતાબનો નાર્કો ટેસ્ટ
પોલીસે હવે 28 નવેમ્બરે આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરશે અને મહત્વના પુરાવા ભેગા કરશે.
A Delhi court sends Shraddha murder case accused Aftab Poonawalla to judicial custody.
પોલીસને આફતાબ જુઠ્ઠો લાગી રહ્યો છે, દોરી રહ્યો છે ગેરમાર્ગે
આફતાબને દિલ્હી પોલીસ પણ દુષ્ટ માને છે. પોલીસ તેની વાતો પર વિશ્વાસ નથી કરી રહી. પોલીસને લાગે છે કે આફતાબ પોલીસને ભ્રમિત કરવા માટે ઘણી ખોટી વાતો કહી રહ્યો છે. આથી દિલ્હી પોલીસ તેના પર નાર્કો ટેસ્ટ કરાવી રહી છે. દિલ્હી પોલીસે ગુરુવારે દાવો કર્યો હતો કે આરોપી આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશ કાપવા માટે પાંચ ચાકુનો ઉપયોગ કર્યો હતો જે મળી આવ્યાં છે પરંતુ મુખ્ય આરી મળી નથી. આફતાબ પૂનાવાલા પર આરોપ છે કે તેણે પહેલા પોતાના લિવ ઇન રિલેશનશિપ પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ પછી, તેના શરીરના 35 ટુકડા થઈ ગયા હતા. આફતાબે ફ્રીજમાં શ્રદ્ધાના શરીરના ટૂકડા રાખ્યાં હતા અને કોઈને તેની ગંધ પણ આવવા દીધી નહોતી ત્યાર બાદ તે રોજ રાતે શરીરના ટુકડા ફેંકવા નીકળતો હતો. ઘટના છ મહિના જૂની છે પરંતુ તેનો ખુલાસો પંદર દિવસ પહેલા થયો છે.
શ્રદ્ધાની હત્યા બાદ બીજી છોકરીને ફસાવી હતી
શ્રદ્ધા વોકરની હત્યા બાદ આરોપી આફતાબે ડેટિંગ એપ બમ્બલ દ્વારા અન્ય એક યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. દિલ્હી પોલીસે યુવતીની ઓળખ કરી લીધી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ છોકરી વ્યવસાયે ડોક્ટર છે અને તે પણ સાયકોલોજિસ્ટ એટલે કે માનસિક રોગોની સારવાર કરતી ડોક્ટર.
શું છે શ્રદ્ધા હત્યાકાંડ
આફતાબ પૂનાવાલા પર આરોપ છે કે તેણે દિલ્હીના મહરૌલીમાં 18 મે 2022ના દિવસે પોતાના લિવ ઇન રિલેશનશિપ પાર્ટનર શ્રદ્ધા વોલ્કરનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ પછી, તેના શરીરના 35 ટુકડા થઈ ગયા હતા. આફતાબે ફ્રીજમાં શ્રદ્ધાના શરીરના ટૂકડા રાખ્યાં હતા અને કોઈને તેની ગંધ પણ આવવા દીધી નહોતી ત્યાર બાદ તે રોજ રાતે શરીરના ટુકડા ફેંકવા નીકળતો હતો. ઘટના છ મહિના જૂની છે પરંતુ તેનો ખુલાસો પંદર દિવસ પહેલા થયો છે.