નનકાના સાહિબ ગુરદ્વારા પર પથ્થરમારાની ઘટના બાદ પાકિસ્તાનમાં મુસ્લિમ ધર્મગુરુઓના પ્રતિનિધિમંડળે શનિવારે સિખ સમુદાયની મુલાકાત લીધી અને ગુરુદ્વારા પરના હુમલાની નિંદા કરી. જ્યારે પાકિસ્તાને એકવાર ફરી નનકાના સાહિબ પરના હુમલાના સમાચારોને ફગાવી દીધા છે.
પાકિસ્તાનમાં મુસ્લિમ ધર્મગુરુઓના પ્રતિનિધિમંડળે ગુરુદ્વારા પરના હુમલાની નિંદા કરી
ખાલિસ્તાની સમર્થક નેતા ગોપાલ ચાવલા પણ પ્રતિનિધિમંડળ સાથે જોવા મળ્યા
પાકિસ્તાનના સૂચના મંત્રીએ ઘટના સાથે જોડાયેલ વાયરલ વીડિયોને ફેક ન્યૂઝ બતાવ્યા હતા
આ દરમિયાન ખાલિસ્તાની સમર્થક નેતા ગોપાલ ચાવલા પણ પ્રતિનિધિમંડળ સાથે જોવા મળ્યા. તેઓ પણ પ્રતિનિધિમંડળમાં સામેલ હતા.
પાકિસ્તાને કહ્યું કે, સિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકના જન્મસ્થાનને કોઇએ કશું જ કર્યું નથી તથા ન તેને કોઇ નુકશાન પહોંચાડ્યું છે તથા સિખ ધર્મના પવિત્ર સ્થળોમાંથી એકમાં તોડફોડ કરવાના દાવા ખોટા છે. નોંધનીય છે કે, આ પહેલા પાકિસ્તાનના સૂચના મંત્રીએ ઘટના સાથે જોડાયેલ વાયરલ વીડિયોને ફેક ન્યૂઝ બતાવ્યા હતા.
Pakistan: A delegation of Muslim leaders visited Nankana Sahib today and interacted with the members of Sikh community there, condemning yesterday's mob attack on Nankana Sahib. Pro-Khalistani leader Gopal Chawla (in purple turban in pics) was also seen with the delegation. pic.twitter.com/xnG4JRvR57
બીજી તરફ રાજધાની દિલ્હીમાં વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતિ સિખ સમુદાયના સભ્યોને પવિત્ર શહેર નનકાના સાહિબમાં હિંસાના કૃત્યોનો સામનો કરવો પડ્યો.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ભારત આ પવિત્ર સ્થાન પર તોડફોડ અને પથ્થરમારાની કડક નિંદા કરે છે. અમે પાકિસ્તાન સરકારને સિખોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે તત્કાલ પગલા ઉઠાવવાનું આહ્વાન કરીએ છીએ.
નોંધનીય છે કે, શુક્રવારે પાકિસ્તાનના નનકાના સાહિબમાં ભીડે સિખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો કરી દીધો હતો અને સિખો વિરુદ્ધ નારેબાજી કરી હતી. તેના કારણે પહેલીવાર ભજન-કિર્તન રદ્દ કરવું પડ્યું.