અમેરિકાના એક અઠવાડિયાના પ્રવાસથી સ્વેદશ પરત ફરતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની 3 વર્ષ પહેલા LoC ની તે પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની યાદ કરી. ઉરીના આર્મી કેમ્પ પર ISI પ્રાયોજિત આતંકવાદી હુમલાના બદલો લેવા માટે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી. પાલમ એરપોર્ટની બહાર શાનદાર સ્વાગત થયુ અને આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્સાહિત કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ કે, સર્જિકલ સ્ટ્રાઇકની યાદ અપાવીને ઇમરાન ખાનને ચેતવણી આપી કે ભારત કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
અમેરિકાથી પરત ફરતા જ પોતાના સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 વર્ષ પહેલા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ નિવેદન પાકિસ્તાનના PM ઇમરાન ખાનના પરમાણુ યુદ્ઘની ધમકીના એક દિવસ પછી આવ્યુ
ઉરી આતંકી હુમલા પછી ભારતે 28 સપ્ટેમ્બર 2016 ના સર્જિકલ સ્ટ્રાઇક કરીને LoC ની તે પાર આંતકવાદી અડ્ડાઓનો વિશાન કર્યો
#WATCH: PM Narendra Modi waves to people gathered outside Palam Technical Airport to welcome him as he arrived in Delhi today, after concluding his visit to USA. pic.twitter.com/DKd7Icigdg
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ''આજે 28 સપ્ટેમ્બર છે, 3 વર્ષ પહેલા આજ દિવસે હું આખી રાત સૂતો ન હતો, રાહ જોતો હતો કે ક્યારે ટેલિફોન રણકશે. 3 વર્ષ પહેલા દેશના વીર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતની શાન વધારે તાકતવર બનાવી દીધી. 28 સપ્ટેમ્બરની તે રાત યાદ કરતા, અમારા વીર જવાનોના ઉત્સાહ અને પરાક્રમ, મૃત્યુને મુઠ્ઠીમાં બાંધીને જનારા તે જવાનોને પ્રણામ કરું છુ.''
Delhi: PM Narendra Modi waves to people gathered outside Palam Technical Airport to welcome him as he arrived in Delhi today, after concluding his visit to USA. pic.twitter.com/Goala2zsET
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ નિવેદન UNGA માં પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના ભાષણના આગામી દિવસે આવ્યુ જેમાં ઇમરાન ખાને પરમાણુ યુદ્ઘની ધમકીની સાથે સાથે જમ્મૂ-કાશ્મીરમાં રક્તપાત, આંતકી હુમલા અને ભારતમાં સાંપ્રદાયિક હિંસાની ચેતવણી આપી હતી.
પાકિસ્તાન માટે મોટો સંદેશ હતો સર્જિકલ સ્ટ્રાઇક
28 સપ્ટેમ્બર 2016 ની સર્જિકલ સ્ટ્રાઇક સીમાપાર આંતકવાદ વિરુદ્ઘ ભારતની રણનીતિમાં મહત્વનો બદલાવની શરૂઆત હતી. જ્યાં એક તરફ હવે બહુ થયુ, ભારત હવે પાકિસ્તાનને ન્યૂક્લિયર બ્લેકમેલિંગની પરવાનગી નહી આપે. આ પહેલા સુધી ભારત આંતકી હુમલાના જવાબમાં સીમાની તે પાર ઑપરેશન વિશે વિચારવામાં પણ અચકાતું હતુ કે આવું થવા પર બેજવાબદાર પાકિસ્તાન તેના વિરુદ્ઘ પરમાણું હથિયારના ઉપયોગ કરશે. 2016ની સર્જિકલ સ્ટ્રાઇક પછી જૈશ-એ-મોહમ્મદે આ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામાં ભીષણ આત્મઘાતી હુમલો કર્યો ત્યારે ઇન્ડિયન એરફોર્સના લડાકૂ વિમાને પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરીને આંતકવાદી ઢેકાણાઓ નાબૂદ કર્યા.