નવરાત્રીને લઈને ડે. સીએમ નીતિન પટેલે આપેલા નિવેદન બાદ ફરી ખેલૈયાઓ માટે આશાનું કિરણ જાગ્યું છે. ત્યારે ઘરે ઘરે માતાજીની સ્થાપના કરવા માટે ભક્તો આતુર બન્યા છે. ત્યારે હવે માર્કેટમાં ધીરે ધીરે નાના કળશ તરીકે ગરબીની સ્થાપના માટે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. મહિલાઓ ખરીદી કરવા માટે ઉમટી પડી છે. રંગબેરંગી ગરબ બનાવવાનું પણ શરુ કરી દેવાયું છે અને લોકો હવે માતાજીની આરાધના કરવમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.