અમરનાથમાં આભ ફાટતા જામનગરના દંપતી દિપક વિઠલાણી અને જાગૃતિબેન વિઠલાણી ફસાયા છે. જો કે, રાહતની વાત એ છે કે, તેઓ અમરનાથ ગુફાથી 3 કિમીના અંતરે આશ્રય મેળવ્યો છે.
ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. આ દરમિયાન રસ્તામાં વાદળ ફાટતાં યાત્રાળુઓએ અધવચ્ચે જ ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગરના ભાવિકો પણ છે.
અમરનાથમાં જામનગરનું દંપતી ફસાયુ
દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. ત્યારે અમરનાથની યાત્રા માટે ગયેલા જામનગરનું એક દંપતી દીપકભાઈ વિઠ્ઠલાણી અને તેમના પત્ની જાગૃતિબેન પણ ફસાતાં તેમના પરિવારજનો ચિંતાતુર બની ગયાં હતાં.
હાલ સુરક્ષિત છે દંપતી
જો કે, રાહતની વાત એ છે કે, જામનગરના આ દંપતી હાલ અમરનાથની ગુફાથી ત્રણ કિ.મી દુર એક કેમ્પમાં આશ્રય સ્થાન મેળવ્યું છે. આ અંગે દીપકભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું કે, તેઓ શુક્રવાર સવારે બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતાં. જ્યારે તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાંજ વાદળ ફાટયું હોવાના સમાચાર મળતાં યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી.
જામનગરના લગભગ 20 જેટલા યાત્રાળુઓ સંગમ ઘાટી પાસે જ છે
સંગમ ઘાટી પાસે જ બધા યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કર્યું છે. જામનગરના લગભગ 20 જેટલા યાત્રાળુઓ પણ આ સમયે યાત્રામાં અટવાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે અને લગભગ 16 જેટલા લોકોના મોત પણ થયા છે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લગભગ 40 જેટલા લોકો ગાયબ છે. જ્યારે છ જણાને આજે સવારે બચાવી લેવાયા છે. ગત રોજ અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાના કારણે ભારે માત્રામાં પાણી નીચે વહી રહ્યું હતું. પોલીસ તથા એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાય ટેંટ તથા સામૂહિક રસોઈ ઘર તૂટી ગયા છે.
Jammu and Kashmir | Visuals from Sonamarg's Baltal base camp as Amarnath Yatra remains temporarily suspended
જમ્મુ કાશ્મીર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાદળ ફાટવાના કારણે આવેલી આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી છે. તથા તેને શરૂ કરવાનો નિર્ણય બચાવ કાર્ય પુરુ થયા બાદ જ લેવાશે. અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી.
#WATCH | Indian Army continues rescue operation in cloudburst affected area at the lower Amarnath Cave site
અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વરસાદના કારણે પહાડમાંથી પાણી અને મોટો પ્રવાહ વહેવા લાગ્યા હતા. એનડીઆરએફની એક ટીમ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે. આ મોટી ત્રાસદીને જોતા ભારતીય સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. જ્યાં હેલીકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
વાદળ ફાટવાની ઘટના બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને અહીં શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાદળ ફાટ્યા બાદ કેટલાય લોકો ગુમ છે. પાણીના ઝડપી વહેણના કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને એનડીઆરએફ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
#WATCH | 6 pilgrims evacuated as part of the air rescue operation, this morning. Medical teams present at Nilagrar helipad. Mountain rescue teams & lookout patrols are in the process of searching for the missing.#AmarnathYatra