બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A complainant from Patan complained that the policeman's son was a usurer
Malay
Last Updated: 03:19 PM, 11 January 2023
ADVERTISEMENT
રાજ્યમાં વકરતા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. સરકાર દ્વારા રાજ્યમાં કોઈપણ ભોગે વ્યાજખોરીને ડામી દેવા માટે પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો હોય ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડિતોને છૂટકારો અપાવવા માટે પોલીસે વ્યાજખોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ગતરોજ પાટણ યુનિવર્સિટીના કન્વેશનલ હોલ ખાતે પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં પાટણના એક ફરિયાદીએ પોલીસનો દીકરો જ વ્યાજખોર હોવાની ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
પાટણ પોલીસના લોકદરબારમાં પીડિતે જણાવી આપવીતી
ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં રમેશભાઈ પ્રજાપતિ નામના દિવ્યાંગ વ્યક્તિ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયાને આપવીતી જણાવતા ગળગળા થઈ ગયા હતા.
મારા પુત્રએ પોલીસકર્મીના પુત્ર પાસેથી લીધા હતા 2 લાખ રૂપિયાઃ ફરિયાદી
ફરિયાદીએ જણાવ્યું હતું કે, 'મારા દીકરાએ પોલીસકર્મીના દીકરા પાસેથી 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. 2 લાખની ઉઘરાણી કરવા પોલીસકર્મીનો પુત્ર ત્રાસ આપતો હતો. વ્યાજખોરના ત્રાસને લઇ મેં પોલીસમાં ફરિયાદ કરી હતી.'
પોલીસકર્મીના પુત્રએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા હતાઃ ફરિયાદી
ફરિયાદીએ જણાવ્યું હતું કે, 'જે બાદ પોલીસકર્મીના દીકરાએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા હતા. કેસ પાછો ખેંચવા આરોપીના પિતા પણ મને ધમકીઓ આપે છે. ફરિયાદ પાછી ખેંચવા માટે પિતા-પુત્ર મને દરરોજ દબાણ કરવામાં આવે છે. હું હેન્ડીકેફ્ટ છું હું આજે કંઈ કરી શકું તેમ નથી. મારો પરિવાર ખૂબ જ દુઃખી છે. મારી પાસે ડોક્ટરી સર્ટીફિરેટથી માંડીને તમામ પૂરાવા છે. આજે પણ હું ખૂબ જ હેરાન થાવ છું, તો મને મદદ કરવા વિનંતી.'
રેન્જ IGએ અરજદારની ફરિયાદ લેવા આપી હૈયા ધારણા
ભુજના રેન્જ IG જે.આર.મોથલિયાએ જણાવ્યું હતું કે, આજે યોજાયેલા લોકદરબારમાં એક પોલીસ કર્મીના દીકરા દ્વારા આ પ્રકારની વ્યાજખોરી કરાવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતને પગલે અમે તપાસ કરીશું અને જે પોલીસકર્મી કસૂવાર થશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સળગતા સવાલ
- પાટણમાં ક્યારે આવશે વ્યાજખોરો પર અકુંશ?
- પાટણમાં પોલીસ પુત્ર પર ક્યારે થશે કાર્યવાહી?
- દિવ્યાંગ વ્યક્તિની ફરિયાદની ક્યારે થશે તપાસ?
- વ્યાજખોર પોલીસ પુત્રના ત્રાસની ફરિયાદ છતા કાર્યવાહી કેમ ન કરી?
- શું પાટણમાં પોલીસ વ્યાજખોરોને છાવરે છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.