લખનઉમાં પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામે કરોડોનો ચૂનો લગાવનારાઓ સામે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, લખનઉના હજરતગંજમાં એયોસિસ સ્પા એન્ડ વેલનેસ કંપનીના એમડી કિરણ બાબા છે. એવો આરોપ છે કે મિદા સંદીપ એન્ટરપ્રાઇઝના સંચાલક પાસેથી આરોપી કિરણ બાબાએ ફ્રેન્ચાઇઝી ફી અને રોકાણના નામે પૈસા લીધા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમની કંપનીની બ્રાંડ એમ્બેસેડર બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા છે. આમ શિલ્પા શેટ્ટીના નામે સ્પા સેન્ટલ ખોલનારાઓ પર કેસ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન કિરણ બાબાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ઘણી તસવીરો અને બેનર્સનો પ્રચાર પણ કર્યો હતો અને કહ્યું હતું કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતે સમય-સમય પર આવીને નિર્દેશ આપશે અને એ જ સ્પાનું ઉદ્ઘાટન પણ કરશે. જેથી પીડિતએ પાર્ટનરશિપ કરી લીધી પરંતુ તેને આ કામમાં સતત નુકસાન સહન કરવું પડ્યું. ત્યારબાદ તપાસ કરવા પર જાણવા મળ્યું કે ફ્રેન્ચાઇઝીના નામે છેતરપિંડી કરવામાં આવી હતી અને ફ્રેન્ચાઇઝીના નામે મોટી રકમ વસૂલવામાં આવી હતી.
આ પછી પીડિતએ કંપનીના માલિક કિરણ બાબા અને ડિરેક્ટર વિનય ભસીન સહિતના સ્ટાફ વિરુદ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો. પીડિતની ફરિયાદ પર આઈપીસીની કલમ 408, 420 અને 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હઝરતગંજના એસીપી અભય મિશ્રાના કહેવા પ્રમાણે, 'આ કેસમાં એયોસિસ સ્પા એન્ડ વેલનેસ કંપનીના માલિક સહિત સ્ટાફ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અનેકેસની તપાસ ચાલી રહી છે.