AAP અને BTPનું ગઠબંધન થશે તેવા સ્પષ્ટ સંકેત, આદિવાસી વોટબેંક કબજે કરવા ખેલાયો સટીક દાવ? જુઓ શું પડશે અસર
AAP અને BTPનુ થશે ગઠબંધન
ટુંક સમયમાં ગઠબંધનની શક્યતા
છોટુ વસાવાએ આપ્યા સ્પષ્ટ સંકેત
ગુજરાતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે. આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે. બીટીપીના ઝઘડિયાથી ધારાસભ્ય છોટુ વસાવાએ આ મામલે સ્પષ્ટ સંકેત પણ આપી દીધા છે.
શિક્ષણ અને રોજગારના મુદ્દા પર ચૂંટણી લડાશે: છોટુ વસાવા
છોટુ વસાવાએ કહ્યુ છે કે, અમે આ ચૂંટણી શિક્ષણ અને રોજગાર જેવા મુદ્દા પર લડીશુ. આપને જણાવી દઈયે કે, AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીએ છોટુ વસાવા પાસે મુલાકાત કરી હતી. જેમાં AAP તરફથી છોટુ વસાવાને ગઠબંધનનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જે પ્રસ્તાવને દિલ્હી ખાતે સીએમ કેજરીવાલની સાથેની બેઠક બાદ છોટુ વસાવાએ સ્વિકારી લીધો હોવાની વાતો ચર્ચાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, છોટુ વસાવાની પાર્ટી BTPએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે પણ ગઠબંધન કર્યુ હતુ પરંતુ તેમનુ આ ગઠબંધન સુપર ફ્લોપ રહ્યુ હતું.શિક્ષણનો અને રોજગારીના મુદ્દે હાલ આપ અને ભાજપ વચ્ચે સોશિયલ વોર ચરમસીમાએ છે ત્યારે છોટુ વસાવાનું આ નિવેદન ગઠબંધનના સંકેત આપી રહ્યું છે.
AAP-BTP ગઠબંધન કરે તો શું થાય ?
AAP-BTP ગઠબંધન કરે તો બન્ને પક્ષે ફાયદો થાય
BTPની આદિવાસી બેલ્ટ પર સારી એવી પક્કડ છે
ભરુચ, નર્મદા, તાપી, છોટાઉદેપુરમાં BTP સારી પક્કડ ધરાવે છે
AAP સાથે આવે તો BTPને સુરત, વલસાડ, દાહોદ પંચમહાલમાં ફાયદો થઇ શકે
કેજરીવાલની ઇમેજ અને આપના કાર્યકરોનો BTPને લાભ મળે
AAPને પણ આદિવાસી બેલ્ટમાં ફાયદો થઇ શકે
હાલમાં AAPનો શહેરી વિસ્તાર અને સૌરાષ્ટ્ર- સુરતમાં જનાધાર છે
આદિવાસી વિસ્તારમાં AAPની BTPના નામે પક્કડ વધી શકે
વર્ષોથી BTP અને કોંગ્રેસ ગઠબંધન કરતું રહ્યું છે
AAP-BTP ગઠબંધનથી કોંગ્રેસને નુકસાન થઇ શકે
BTPના છોટુ વાસવાએ અરવિંદ કેજરીવાલ સાથે કરી હતી બેઠક
ગુજરાતના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગત 8 એપ્રિલના રોજ BTPના છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ બેઠકને વિશેષજ્ઞો અલગ રીતે જોઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં AAP અને BTP ગઠબંધન થવા જઈ રહ્યું હોવાની વાતો પણ વહેતી થઈહતી.જેના આજે છોટુ વસાવાએ જ સ્પષ્ટ સંકેત આપી દીધા છે.જો આ ગઠબંધન થાય તો સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડે તેમ છે.
જો કે હાલ છોટુ વસાવા પોતે કોની સાથે જોડાશે તે મામલે સસ્પેન્સ રાખ્યું છે પણ જો આપ અને બીટીપીનું ગઠબંધન થાય તો આદિવાસી વિસ્તાર પર પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસને મોટું નુકસાન પડી શકે તેમ છે. સાથે જ આપનો આ દાવ ભાજપનો ખેલ પણ ઊંધો પાડી શકે છે. પણ આ રાજકારણ છે બંધ બાજીએ નેતાઓ દાવપેચ ખેલે છે ત્યારે કોણ બાદશાહ કાઢશે અને હુકમનો એક્કો કોણ સાબિત થશે તો આવનાર સમય જ બતાવશે.