પોરબંદરમા IRB ના જવાનો વચ્ચે ઘર્ષણનો મામલો; મૃત્યુ પામેલ 2 જવાનોના પરિવારને કેન્દ્રીય ચૂંટણીની 15-15 લાખ રૂપિયાની સહાય આપશે
પોરબંદરમા IRB ના જવાનો વચ્ચે ઘર્ષણનો મામલો
મૃત્યુ પામેલ 2 જવાનોના પરિવારને કેન્દ્રીય ચૂંટણીની સહાય
બંને જવાનોના પરિજનો ને 15-15 લાખ રૂપિયાની કરાશે સહાય
રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે અને હવે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાનને આડે ફક્ત ચાર દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં ચૂંટણીકાળ લોહિયાળ બન્યો છે. 26 તારીખે ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના એક જવાને અચાનક જ પોતાના સાથી જવાનો પર પોતાની એકે – 47 રાઈફલમાંથી ગોળીબાર કરતાં બે જવાનોના મોત નિપજ્યા હતા. પોરબંદરમાં IRBના જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં મૃતકોના પરિવારજનોને 15-15 લાખની સહાય કરશે ચૂંટણીપંચ, આંતરિક બબાલમાં સામસામે ગોળીબારમાં થયા હતા મૃત્યુ
IRB જવાનોના પરિવારજનોને 15-15 લાખની સહાય
પોરબંદરમાં IRBના જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં મૃતકોના પરિવારજનોને 15-15 લાખની સહાય કરશે ચૂંટણીપંચ, આંતરિક બબાલમાં સામસામે ગોળીબારમાં મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલ 2 જવાનોના પરિવારને કેન્દ્રીય ચૂંટણી પંચ સહાય કરશે જેમા બંને જવાનોના પરિજનો ને 15-15 લાખ રૂપિયાની સહાય અપાશે. ઇલેક્શન કમિશનર ઓફ ઇડિયાએ મોટી જાહેરાત કરી છે.
મજાકમાં ઉશ્કેરાઈ જઇ કર્યું હતું ફાયરિંગ
મણીપુરની બે બટાલિયનના 160 જવાનો પોરબંદર આવ્યા હતા અને તેમને કોઈ ડ્યૂટી પણ સોંપવામાં આવી ન હતી. જેમાં આઈઆરબીની થર્ડ અને ફોર્થ બટાલિયનના જવાનો પોતાના કામકાજમાં મશગૂલ હતા અને મજાક-મસ્તીનો દોર ચાલી રહ્યો હતો. આ મજાક-મસ્તીનો દોર ક્યારે ગંભીર બની ગયો તેની કોઈને ખબર જ ન રહી. જવાનો વચ્ચેની આ મજાકથી થર્ડ બટાલિયનનો જવાન એસ. ઈનાઉયાસિંઘ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસે રહેલી એકે-૪૭ રાઈફલમાંથી પોતાના સાથી જવાનો પર ગોળીબાર શરુ કરી દીધો હતો. આ ગોળીબારમાં થર્ડ બટાલિયનના જવાન થોઈબાસિંઘ (ઉં.વ.38) અને જીતેન્દ્રસિંઘ ખુમાન થેમ (ઉં.વ.50)ના મોત નિપજ્યા હતા, જ્યારે રોહિકાના એક કોન્સ્ટેબલ(ફોઆઈઆરબી) તથા ચોરાજીત (રાયફલમેન, થર્ડ આઈઆરબી)ને ગંભીર ઈજાઓ થતાં પોરબંદર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગરના દવાખાને ખસેડવામાં આવ્યા છે.
જવાન ઈનાઉયાસિંઘની ધરપકડ
બનાવની તપાસ નવી બંદર પોલીસ ચલાવી રહી છે. પોરબંદર એસપી ડો. સેનીના જણાવ્યા હતું કે, આરોપી ઈનાઉયાસિંઘે પોતાની એકે –૪૭ રાઈફલમાંથી 10 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી ગ્રામ્ય, એલસીબી પીઆઈ શ્રીમાળી, નવી બંદર પોલીસના પીએસઆઈ જાડેજા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આ હત્યાકાંડ સર્જનાર આઈઆરબીના જવાન ઈનાઉયાસિંઘની ધરપકડ કરી તેની સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.