સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાહ ફેલાવીને પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કોંગ્રેસ સાંસદ શશિ થરુર સહિત અનેક પત્રકારો પર રાજદ્રોહ સહિત ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રાજદ્રોહ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ
ખેડૂતના મોતનું કારણ ગોળી વાગવાથી નહીં પણ
બબાલ દરમિયાન એક ખેડૂતનું મોંત થયુ હતુ
રાજદ્રોહ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ
ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસે અફવાફ ફેલાવી હતી કે પોલીસની ગોળીથી ખેડૂતનું મોત થયું છે. જેનાથી હંગામો થયો હતો. હકિકતમાં ફરિયાદ કર્તાએ 26 જાન્યુઆરી પર દિલ્હીમાં ફેલાયેલી હિંસાને ભડકાવવા અને પોલીસ દ્વારા એક આંદોલનકારી ખેડૂતની હત્યાના સમાચાર ટ્વીટ કરવાના મામલામાં કોંગ્રેસ સાંસદ શશિ થરુર, ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઈ, નેશ્નલ હેરાલ્ડ ગ્રુપના સમ્પાદકીય સલાહકાર મૃણાલ પાન્ડેય અને અનેક પત્રકારો જેમાં જફર આગા, પરેશનાથ. અનન્તાનાથ, વિનોદ કે જોસની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બબાલ દરમિયાન એક ખેડૂતનું મોંત થયુ હતુ
સમગ્ર મામલાને લઈને ગૌતમ બુદ્ધ નગર પોલીસે અનેક ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જેમાં રાજદ્રોહ, હિંસા ભડકાવવી, અશાંતિ ફેલાવવી તથા આઈટી એક્ટની કલમનો સમાવેશ થયો છે. ઉલ્લેનીય છે દિલ્હીમાં મંગળવારે થયેલી બબાલ દરમિયાન એક ખેડૂતનું મોંત થયુ હતુ.
શું હતો સમગ્ર મામલો
દિલ્હીમાં મંગળવારે થયેલી બબાલ દરમિયાન એક ખેડૂતનું મોત થઈ ગયું હતુ. આંદોલનરત ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે ખેડૂતનું મોત પોલીસની ગોળી વાગવાથી થયું છે. જેને લઈને ઘણો હોબાળો થયો હતો. પરંતુ ખેડૂતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાબદ મામલામાં ખુલાસો થયો છે. જેમાં ખેડૂતના મોતનું કારણ ગોળી વાગવાથી નહીં પણ ટ્રેક્ટર પલટી જવાથી આવેલી ઘાવને કારણે થઈ હતી.