‘મેં ક્યોં આઉં મુજે મરના નહીં હૈ આપકી ફ્લાઈટ મેં બોમ્બ હૈ, ફ્લાઇટમાં બોમ્બની ઘમકી આપનાર પંજાબ અને દિલ્હીના બે શખ્સ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે,
ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનાર બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ
એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
સાંજે દિલ્હી માટે ભરવાની હતી ઉડાન
ફ્લાઇટમાં બોમ્બની ઘમકી આપનાર પંજાબ અને દિલ્હીના બે શખ્સ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ગઇ કાલે પેસેન્જરે ફોન પર કહ્યું હતું. કે ‘મેં ક્યોં આઉં મુજે મરના નહીં હૈ આપકી ફ્લાઈટ મેં બોમ્બ હૈ, તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. આ ફોન બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ હતી અને સઘન ચેકિંગ બાદ ફ્લાઇટનું ટેક ઓફ કરવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી એલાયન્સની ફ્લાઇટ સાંજે દિલ્હી માટે ઉડાન ભરવાની હતી.
ફ્લાઈટ મેં બોમ્બ હૈ, તેમ કહીને ફોન કટ કરી દીધો
આ ફ્લાઇટના પેસેન્જરનું બોડિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૫૩ મુસાફરો પ્રવાસ કરવાના હતા. જેથી બોડિંગ ગેટ પર હાજર અધિકારી આ ફ્લાઇટમાં પ્રવાસ કરનાર મુસાફરો કે જેમાં બોડિંગ કરવાના બાકી હતા. તેઓને સિસ્ટમમાંથી મોબાઇલ ફોન નંબર મેળવીને ફોન કરતા હતા. ફ્લાઇટમાં વિનિત નોડિયલ નામનાે પેસેન્જર આવવાનો બાકી હોવાથી તેને ફોન કર્યો હતો કે તમે ફટાફટ ગેટ નંબર છ પર આવી જાવ ફ્લાઇટનો સમય થઇ ગયો છે. ફોન રિસિવ કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે ‘મેં ક્યોં આઉં મુજે મરના નહીં હૈ આપકી ફ્લાઈટ મેં બોમ્બ હૈ, તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. જે અંગેની જાણ સુરક્ષા એજન્સીઓને કરાતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.
પોલીસ તપાસનો ધમધમાટ
ફ્લાઇટમાં બોમ્બ હોવાનું કહીને ફોન કટ કરી દેવાતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે ગણતરીની મિનિટોમાં વિનિત નોડિયલ પણ કાઉન્ટર પર આવેલ અને તેણે જણાવ્યું હતું કે તેમની ફ્લાઈટની ટિકિટ તેની કંપનીના એડમિન ડિપાર્ટમેન્ટ તરફથી બુક કરવામાં આવેલ છે.આ બુકિંગમાં જે મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ લખાવવામાં આવ્યાં હતા. તે તેનું નહીં પરંતુ કંપનીના એડમિન ઓફિસમાં નોકરી કરતા ભૂપેન્દ્રસિંહનું હતું. એરપોર્ટ પોલીસ આ મામલે ભૂપેન્દ્રસિંહ શરબતસિંહ અને વિનિત નોડિયલ વિરુદ્ધ ગુનો ધ સપ્રેશન ઓફ અનલોફૂલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.