રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મનપા ઉમેદવારો મહત્તમ 6 લાખ જેટલો ખર્ચ કરી શકશે
રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી ખર્ચનું જાહેરનામું બહાર પાડ્યું
ચૂંટણી પ્રચારના ખર્ચનું જાહેરનામું બહાર પાડ્યું
મનપા ઉમેદવારો મહત્તમ 6 લાખ જેટલો ખર્ચ કરી શકશે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણીના પ્રચારના ખર્ચને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મનપા ઉમેદવારો મહત્તમ 6 લાખ જેટલો ખર્ચ કરી શકશે તથા 9 કરતા વધુ વોર્ડ ધરાવતી નગરપાલીકાના ઉમેદવારો રૂ.2.25 લાખ ખર્ચી શકશે.
તો, 9 વોર્ડથી ઓછા વોર્ડ ધરાવતી નગરપાલીકાના ઉમેદવાર 1 લાખ 50 હજાર જેટલા ખર્ચી શકશે. તો જિલ્લા પંચાયત માટે આ લિમિટ 4 લાખ તથા તાલુકા પંચાયત માટે 2 લાખ જેટલો ખર્ચ કરવાનું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.