PM મોદીના આવાસ સ્થાને આવતીકાલે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં ખેડૂત આંદોલન મુદ્દે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
PM મોદીના આવાસ સ્થાને યોજાશે કેબિનેટ બેઠક
ખેડૂત આંદોલન મુદ્દે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા
બેઠકમાં ટેક્સટાઈલ સેક્ટરને રાહત પેકેજ મળે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે બેઠક યોજાવાની છે. જે બેઠકમાં ઘઉં તેમજ અન્ય પાકોને લઈને MSP વધારવાને લઈને નિર્ણય લેવામાં આવશે. PM મોદીના આવાસ સ્થાને આ બેઠક યોજાશે જેમા ટેક્સટાઈલ સેક્ટર માટે રાહતનું પેકેજ આપવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.
દિલ્હીની સરહદો પર પ્રદર્શન યથાવત
આપને જણાવી દઈએ કે ખેડૂતો છેલ્લા 9 મહિના કરતા પણ વધારે સમયથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. એટલુજ નહી પણ હવે ખેડૂતોએ તેમના આંદોલનને વધારે વેગ આપ્યો છે. આજે ખેડૂત સંગઠનો દ્વારા હરિયાણાના કરનાલમાં મહાપંચાયત બાદ મિનિ સચિવાલય સુધી માર્ચ કાઢવામાં આવી હતી.
ટ્વીટ કરીને રાકેશ ટીકૈતે આપી માહિતી
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને માહિતી આપી કે તેમના ખેડૂત સાથિયો સચિવાલય પહોચ્યા હતા. જ્યા પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. પરંતુ યુવાઓના જોશ સામે પોલીસે તેમને છોડવા પડ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે તેઓ હું પણ ખેડૂતો સાથે સચિવાલયમાં ઉપસ્થિત છું અને આ લડાઈ ચાલું રહેશે.
ચૂંટણી સમયે કૃષિ કાયદા પર લેવા દબાણ કરશે
થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશના મુજફ્પરનગરમાં મહાપંચાયતનું આયોજન થયું હતું. જેમા ખેડૂત નેતાઓએ ભાજપ સામે ઘણા નિવેદનો આપ્યા હતા. સાથેજ તેમણે કહ્યું કે તેઓ આગામી ચૂંટણી વખતે કૃષિ કાયદાઓને પરત લેવા માટે દબાણ કરશે. સાથેજ એવું પણ બોલ્યા હતા કે તેઓ ભાજપ સામે મોટી સભાઓનું પણ આયોજન કરશે.
MSP પર કાયદો બનાવામાં આવે તેવી ખેડૂતોની માગ
ઉલ્લેખનીય છે કે ખેડૂતો ત્રણ કૃષિ કાયદાનો છેલ્લા 9 મહિનાથી વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે સરકાર કૃષિ કાયદાઓને પરત ખેંચે અને એમએસપી પર કાયદો બનાવે. પરંતુ સરકાર દ્વારા કૃષિ કાયદાઓને રદ કરવા માટે સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી છે.