ઉત્તરાખંડમાં યમુનોત્રી જઈ રહેલી પ્રવાસીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી જેમાં 22 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભીષણ દુર્ઘટના
યમુનોત્રી જઈ રહેલી બસ ખીણમાં ખાબકી
25 લોકોના મોત
બસમાં 28 પ્રવાસીઓ હતા સવાર
200 મીટર ઉપરથી ખીણમાં ખાબકી બસ
રવિવારે ઉત્તરકાશીમાં એક મોટો અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશના પન્નાની એક બસ ઉત્તરાકાશીમાં આવેલા યમુનોત્રી તરફ જઈ રહી હતી ત્યારે યમુનોત્રી નેશનલ હાઈવે પર દામટા પાસે ખીણમાં ખાબકી હતી જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતાંક વધવાની શક્યતા છે કારણ કે બસમાં કુલ 28 લોકો હોવાનું જણાવાય છે. ઘટનાની ખબર મળતા પ્રશાસન અને ગામલોકો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને રેસ્કયૂ ઓપરેશન શરુ કરી દીધું હતું.
#WATCH | Uttarakhand: Visuals from the gorge in Uttarkashi district where a bus carrying 28 pilgrims fell down. 22 pilgrims have died & 6 people have been injured. Local administration & SDRF teams engaged in rescue work; NDRF team rushing to spot. pic.twitter.com/g0KDBRdDMe
28 પ્રવાસીઓ ભરેલી બસ 200 મીટર ઉપરથી ખીણમાં ખાબકી હતી અત્યાર સુધી 25 લોકોના મોત થયા છે, મોતનો આંકડો હજુ વધી શકે છે, શક્યતા તો એવી છે કે બધા લોકોના મોત થયા હોય કારણ કે જેમ જેમ બચાવ અભિયાન આગળ વધી રહ્યું છે તેમ તેમ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યાં છે.
Uttarakhand | A bus carrying 28 pilgrims from Panna district in Madhya Pradesh fell into a gorge near Damta in Uttarkashi district. Bodies of 6 people recovered while 6 injured have been sent to the hospital. Police & SDRF on the spot: DGP Ashok Kumar
પ્રારંભિક જાણકારી અનુસાર તમામ યાત્રીઓ યમુનોત્રી જવા રવાના થયા હતા. હાલ તો આ અકસ્માતમાં ઘાયલો અંગે માહિતી મળી શકી નથી. ઘટના બાદ પોલીસ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
#Update | Uttarakhand: 15 bodies have been recovered so far after a bus carrying 28 pilgrims fell into a gorge near Damta in Uttarkashi district: DGP Ashok Kumar
અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી
અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. એક બસ ખાઈમાં પડી હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને એસડીઆરએફની ટીમોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ શરૂ કરી દીધું છે.
બસમાં સવાર હતા 28 લોકો
જાણકારી અનુસાર બસમાં 28થી 29 લોકો સવાર હતા. ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુએ તમામ અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવાની સૂચના આપી છે. તમામ મુસાફરો મધ્યપ્રદેશના હોવાનું કહેવાય છે. તમામ મુસાફરો યમુનોત્રીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના હિમાચલ-ઉત્તરાખંડ બોર્ડરની નજીક આવેલા વિસ્તાર એવા દમ્ટાની છે.
#UPDATE | As per Uttarakhand local administration, 22 pilgrims have died & 6 people have been injured. NDRF team rushing to spot and will reach any moment: MoS Home Nityanand Rai to ANI
માહિતી મળતા જ એસડીઆરએફના જવાનોને રાહત કાર્ય માટે સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. એસપી અર્પણ યધુવંશીએ જણાવ્યું હતું કે આ અકસ્માત દામટાથી નૌગાંવ તરફ આશરે 2 કિમી દૂર થયો હતો, બસમાં સવાર મુસાફરો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી છે. ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ચાલુ છે. જાણકારી અનુસાર બસમાં 28થી 29 લોકો સવાર હતા. ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Union Home Min Amit Shah has spoken to Uttarakhand CM Pushkar S Dhami in connection with the bus with 28 pilgrims that fell down a gorge in Uttarkashi; tweeted, "Local admin & SDRF teams engaged in rescue work. Injured being taken to a hospital for treatment. NDRF reaching soon." pic.twitter.com/AtAA672sTK
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના જલદીથી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
The death of pilgrims, from Panna district, after their bus fell into a gorge in Uttarakhand, is unfortunate. Our team is in constant touch with the Uttarakhand government. Arrangements being done for the treatment of injured & to bring back the dead: MP CM Shivraj Singh Chouhan https://t.co/QquK6I8lsSpic.twitter.com/Qz6Ar5zP1z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 5, 2022
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ચોહાણે શોક વ્યક્ત કર્યો
ઉત્તરાખંડના ઉત્તરાકાશીમાં બસ દુર્ઘટના જે લોકોના મોત થયા છે તે તમામ મધ્યપ્રદેશના પન્નાના હતા. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણે ટ્વિટ કરીને ઘટનાનો શોક વ્યક્ત કર્યો હતો.
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the accident in Uttarakhand. The injured would be given Rs. 50,000 each.
મૃતકોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની જાહેરાત
પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરાખંડ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. સરકારે મૃતકોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.