ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, મકાન ધરાશાયી થતા ચાર લોકો કાટમાળ નીચે દબાયા
ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી
કાટમાળમાં ચાર વ્યકિત દટાયા, એકનું મૃત્યુ
જુની ઈમારત હોવાથી દુર્ઘટના થઈ હોવાનું અનુમાન
ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી હતી. ઈમારતના કાટમાળમાં ચાર વ્યકિત દટાયા ફાયર જવાનોએ રેસક્યૂ હાથ ધર્યું હતું જ્યારે ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી
ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, મકાન ધરાશાયી થતા ચાર લોકો કાટમાટ નીચે દબાયા હતા જ્યારે ઈમારત ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. જો કે ઘટનાની જાણ થતા તુરંત ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જુની ઈમારત હોવાથી દુર્ઘટના થઈ હોવાનું અનુમાન
ગઈ કાલે મોડી રાત્રે ઈમારત ધરાશાયી થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ઘટના બાદ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે તાત્કાલિક 108 અને ફાયર વિભાગને સંપર્ક કરતા તુરંત ફાયરના જવાનો અને 108 મદદ માટે દોડી આવી હતી જ્યારે ફાયરના જવાનો દ્વારા રાહત કામગીર કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બચાવ કામગીરી અડચણ રૂપ થતા લોકોને દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાટમાળમાં ચાર વ્યકિત દટાયા, એકનું મૃત્યુ
ઈમારત ધરાશાયી થતા લોકોમાં ભય જોવા માહોલ સર્જાયો છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જુની ઈમારત હોવાથી દુર્ઘટના થઈ હોવાનું મનાઈ રહ્યું છે ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે, ઘટનાની જાણ થતા સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે જરૂરી તમામ સહાયતાની ખાતરી આપી હતી અને પરિવાજનોન આશ્વાસ અને દિલાસો પણ આપ્યો હતો. જ્યારે મૃતકના પરિવારને પણ આશ્વાસન આપ્યું હતું.