રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચી ગયું છે. રાજકીય સંકટની વચ્ચે કોઈ પણ પક્ષ સરકાર બનાવવામાં સફળ રહી નહીં અને આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે. ત્યારે આવામાં અગાઉ સરકાર બનાવવાનો ઈન્કાર કરી ચૂકેલી ભાજપ ફરી સરકાર બનાવવા ઍક્ટિવ થતાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે.
સાંજે રાષ્ટ્રપિત શાસન લાગુ થયા બાદ કોંગ્રેસ-NCP, શિવસેના અને ભાજપે મીડિયાને સંબોધન કર્યુ હતું. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ભાજપે પણ હવે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
ભાજપ ફરી સરકાર બનાવવા ઍક્ટિવ થઈ
Narain Rane, Bharatiya Janata Party (BJP): BJP will try to form government. Devendra Fadnavis is putting in all efforts in this direction. pic.twitter.com/0hSTXA6LiN
ભાજપ તરફથી નારાયણ રાણેએ મીડિયાને સંબોધન કર્યુ હતું અને કહ્યું હતું કે ભાજપ સરકાર બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે અને ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે. આ દરમ્યાન સૌથી મોટી વાત તેમણે એ કરી કે ભાજપ 145થી વધુ ધારાસભ્યોને લઈને સરકાર રચશે. ઘણાં પક્ષોના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને અમે જલ્દીથી સરકાર બનાવીશું. મને BJPની સરકાર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તે રાણેએ કહ્યું હતું.
શિવસેનાએ કહ્યું,
#WATCH Mumbai: Shiv Sena chief Uddhav Thackeray reacts to a question 'Is the BJP option completely finished?'. Says, "Why are you in such a hurry? It's politics. 6 months time has been given (President's Rule). I didn't finish the BJP option, it was BJP itself which did that..." pic.twitter.com/3pew41hMuF
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે,અમને સરકાર બનાવાનો પૂરતો સમય ન આપ્યો અને અમે હજુ પણ સરકાર બનાવી શકીએ છીએ. આ સાથે જ શિવસેના પ્રમુખે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ભાજપ ખોટું બોલે છે 50-50ની ફોર્મ્યૂલા પર વાત થઈ હતી. જો કે, પરિણામો બાદ ભાજપે ફેરવી તોળ્યું અને શિવસેના સાથે સરકાર રચવાની વાત થઇ છે પરંતુ 50-50ની ફોર્મ્યૂલા પર કોઇ જ પ્રકારની વાત થઇ નથી તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યોને પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસનની ચિંતા ન કરો, આપણે સરકાર બનાવીશું.
NCP અને કોંગ્રેસના નેતાઓ આજે મુંબઈમાં મળ્યા હતા. મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે શિવસેનાએ 11 નવેમ્બરના રોજ અમારો સત્તાવાર રીતે સંપર્ક કર્યો હતો. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રપતિના શાસનની ટીકા કરે છે. અહેમદ પટેલે કહ્યું કે કેન્દ્ર ક્યારેય નિયમોનું પાલન કરતું નથી અને ઘણાં રાજ્યોમાં મનસ્વી રીતે કામ કરતું નથી.
હજુ પણ મહારાષ્ટ્રમાં સરકાર બની શકે છે
મહારાષ્ટ્રમાં ભલે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયુ હોય પરંતુ તેનો મતલબ એ નથી કે મહારાષ્ટ્રમાં સરકાર બનવાનો રસ્તો બંધ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ જો હવે કોંગ્રેસ, ભાજપ, એનસીપી અને કોંગ્રેસમાંથી કોઈ પણ પાર્ટી 6 મહિનાની અંદર રાજ્યપાલની પાસે સરકાર બનાવવા માટે જાય છે અને રાજ્યપાલને વિશ્વાસ અપાવવામાં સફળ રહે છે કે તેમની પાસે બહુમતના આંકડા છે. તો આવી સ્થિતિમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનને ખતમ કરવાની ભલામણ કરી શકે છે.
જો કે જોવાનું એ રહેશે કે રાજ્યપાલ પર નિર્ભર રહેશે કે સરકાર બનાવવાનો દાવો કરનારી પાર્ટીથી સમર્થન પત્ર માંગે છે કે પછી બહુમતનો આંકડો જોવા માટે ધારાસભ્યોની પોતાની સામે પરેડ પણ કરાવી શકે છે. આવામાં હજુ પણ શિવસેના-એનસીપી-કોંગ્રેસ પાસે હજુ પણ વિકલ્પ છે પરંતુ તેની માટે તેમણે બહુમતનો આંકડો સાબિત કરવાનો રહેશે.