પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી નીરવ મોદીને સિંગાપુર સરકારે મોટો ઝટકો આપ્યો છે. નીરવ મોદીએ સિંગાપુર સરકાર પાસે નાગરિકતાની માંગ કરી હતી જેને સિંગાપુર સરકારે રદ કરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી નીરવ મોદીએ સિંગાપુરની નાગરિકતા મેળવવા ત્યાના પાસપોર્ટ મેળવવાની અપીલ કરી હતી પરંતુ સિંગાપુર સરકારે નીરવ મોદીની અપીલને નકારી દીધી છે અને નાગરિકતા આપવાની ના પાડી છે.
તમને જણાવી દઇયે કે નીરવ મોદી અને મેહુલ ચોકસી પર 'ફર્ઝી લેટર ઓફ અંડરટેકિંગ' દ્વારા પંજાબ નેશનલ બેંકને 13400 કરોડનો ચૂનો લગાડવાનો આરોપ છે. આ બંને વિરુદ્ધ સીબીઆઇ ઇડી સહિત અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસમાં જોડાયેલી છે.