મહેસાણાના વિસનગરમાં એવી મિલકતનો પર્દાફાશ થયો છે જે પાલિકાના ચોપડેતો નોંધાયેલી છે પરંતું વાસ્તવિકતામાં છેજ નહી. સમગ્ર મામલે પાલિકા કર્મચારી જ્યારે વેરો ઉઘરાવવા સ્થળ પર પહોચ્યો ત્યારે આ કોભાંડનો પર્દાફાશ થયો.
વિસનગરમાં મોટો કોભાંડનો થયો પર્દાફાશ
પાલિકાના ચોપડે એવી મિલકતોની નોંધણી થઈ જે વાસ્તવમાં નથી
ઘટના સામે આવ્યા બાદ પાલિકા કર્મચારીઓ પણ મુંઝવણમાં
મહેસાણાના વિસનગરમાં પાલિકાના ચોપડે એવી મિલકતોની નોંધણી કરવામાં આવી છે. કુલ 73 એવી મિલકતો જે વાસ્તવિકતામાં નથ તેની પાલિકાના ચોપડે નોંધણી કરવામાં આવી છે. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાથેજ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સમગ્ર મામલે 34 લાખથી વધુંનો વેરો બાકી હતો જેના કારણે પાલીકાના કર્મીએ સ્થળ પર જઈને તપાસ કરી ત્યારે પર્દાફાશ થયો.
નોંધણી થયેલી મિલકત સ્થળ પર ન હતી
પાલિકા કર્મચારી જ્યારે સ્થળ પર પહોચ્યો ત્યારે તેણે જોયું કે એવી કોઈ મિલકત ત્યા હતીજ નહી કે જેની ચોપડે નોંધણી કરવામાં આવી છે. જે મિકલત ખરેખરમાં છેજ નહી તેની નોંધણી ચોપડે કેવી રીતે થઈ તે એક મોટો પ્રશ્ન લોકોની સામે આવ્યો છે. સાથેજ આ સમગ્ર મામલો જ્યારે બાકી વેરો ઉઘરાવવા માટે કર્મચારી સ્થળ પર પહોચ્યો ત્યારે સામે આવ્યો છે.
મિલકતોને રદ કરવા મથામણ
આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ નગરપાલિકા દ્વરા તે મિલકતોને ચોપડેથી રદ કરવા મથામણ ચાલી રહી છે. સાથેજ જો આ કેસમાં તપાસ કરવામાં આવે તો બેંકો સાથે ફ્રોડનો મોટો કેસ બહાર આી શકે તેવી શક્યતા છે.
તપાસ સમિતિની રચના કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા એવુ નિવેદન આપવામાં આવ્યું છે તે પાલિકા દ્વારા આ સમગ્ર મામલે તપાસ સમિતિ બનાવામાં આવશે. જેમા વિરોધ પક્ષના નેતાનો પણ સમાવેશ કરવાની વાત કરવામાં આવી છે. ત્યારે તપાસ સમિતિની રિપોર્ટમાં શું સામે આવે છે તેની લોકો રાહ જોઈને બેઠા છે.