પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર બેન લાગી ગયો હતો અને એ વાતનો ફાયદો ઉઠાવીને ઘણા પાકિસ્તાની નિર્માતાઓ આખી ફિલ્મની નકલ કરી લેતા હતા.
ભારતનાં ભાગલા વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ ભાગલા પડ્યા હતા
પાકિસ્તાનમાં 1959માં એક ફિલ્મ બનાવવામાં આવી હતી જે ભારતીય ફિલ્મની નકલ હતી
આમ તો 1947માં ભારતના ભાગલા સાથે ભારત અને પાકિસ્તાન અલગ થાય હતા પણ એમનો સાંસ્કૃતિક વારસો એક સમાન છે. ભાગલા વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ ભાગલા પડ્યા હતા અને ફિલ્મોમાં કામ કરનાર કલાકારો, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તેમની ઈચ્છા મુજબ લાહોર અને મુંબઈ પંહોચ્યાં હતા. લાહોર પંહોચેલ ઘણા કલાકારો અને નિર્દેશકો પાકિસ્તાન બનવા પહેલા મુંબઈમાં હતા. ભાગલા પછી પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર બેન લાગી ગયો હતો અને એ વાતનો ફાયદો ઉઠાવીને ઘણા પાકિસ્તાની નિર્માતાઓ આખી ફિલ્મની નકલ કરી લેતા હતા. આવો જ એક કિસ્સો 1954માં બન્યો હતો.
‘hum laye hain toofan se kashti nikal ke’ is originally from the film jagriti (1954) and sung by the brilliant mohammed rafi sahab. the lyrics are incredible♥️🇮🇳 pic.twitter.com/J4aokxdF0A
ફિલ્મની નકલ કરી લીધી હતી
નિર્માતા શશધર મુખર્જીની ફિલ્મ જાગૃતિના નિર્દેશક સત્યેન બોસ હતા. ફિલ્મ રાષ્ટ્રભક્તિ સાથે જોડાયેલ હતી અને તેમાં ગીત કવિ પ્રદીપે લખ્યા હતા. એ ફિલ્મના ગીતો આજે પણ લોકો સાંભળે છે. પાકિસ્તાનમાં 1959માં એક ફિલ્મ બનાવવામાં આવી હતી એ ફિલ્મ ફક્ત ભારતીય ફિલ્મ જાગૃતિની નકલ નહતી પણ ફિલ્મના ગીતો પણ એવા જ રાખવામાં આવ્યા હતા. ગીતોમાં જ્યાં જ્યાં હિન્દુસ્તાન આવતું હતું તેને બદલીને પાકિસ્તાન કરી દેવામાં આવ્યું હતું. 'आजादी बिना खड्ग बिना ढाल, साबरमति के संत तूने कर दिया कमाल' ભારતમાં આ ગીત ગાંધીજીને સમર્પિત કરવામાં આવ્યું હતું અને ત્યાં આ ગીત મોહમ્મદ અલી જિન્નાને સમર્પિત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની એ ફિલ્મ રતન કુમારે બનાવી હતી જેને ફિલ્મ જાગૃતિમાં પણ કામ કર્યું હતું અને એ પછી પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
Pakistani Film "Bedaari"(1956) had an identical plot and the songs like Indian film "Jagriti"(1954), with replacement of some words, and music were taken directly from Jagriti as well.
Rattan Kumar (Syed Nazir Ali) actor of Jagriti migrated to Pak also acted in movie "Bedaari" pic.twitter.com/Q8JjGEmgYH
— Indo Islamic Culture (@IndoIslamicPage) July 15, 2019
પાકિસ્તાનમાં ગીત બેન કરાયું હતું
જાગૃતિ ફિલ્મનું નામ ત્યાં બેદારી રાખવામાં અવાયું હતું. ફિલ્મ રીલીઝ થઇ ત્યારે લોકોને ઘણી પસંદ આવી હતી પણ જયારે સેન્સર બોર્ડ પાસે ભારતની નકલ છે એવી શિકાયત પંહોચી ત્યારે ફિલ્મના ગીતને તુરંત ben કરવામાં આવ્યા હતા. લોકો એ ફિલ્મ અને ગીતોને ભૂલી ગયા હતા ત્યારે 1990માં મુન્નવર સુલતાના નામની ગાયિકાએ ફરી એ ગીત અલગ અંદાજમાં ગાયું હતું. એ સમયે પાકિસ્તાનમાં એ ગીત ફરી ઘણું લોકપ્રિય બન્યું હતું. એ પછી ફરી એક વખત એ ગીત બેન થયું હતું.