કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 ગુજરાતીઓના મૃતદેહ મળ્યા હતા. ગુજરાતના ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતા પટેલ પરિવારનાં સદસ્યો હોવાની વાત
ગાંધીનગરના ડિંગુચાનો પટેલ પરિવારમાં માતમ
એક જ પરિવારના ચાર સદસ્યો બરફમાં ગરક
કેનેડા-યુએસની બોર્ડર પર -35 ડીગ્રીમાં થીજી ગયા
કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આ વચ્ચે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 ગુજરાતીઓના મૃતદેહ મળ્યા હતા. ગુજરાતના ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતા પટેલ પરિવારનાં સદસ્યો હોવાની વાત સામે આવી છે. વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મૃતદેહો ભારતીયોના હોવાનું સ્વિકાર્યું છે. આ ચાર વ્યક્તિઓમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળ્યા હતા. કલોલના આ હતભાગી પરિવારના સદસ્ય સાથે VTV એ વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય એ જણાવ્યું કે હવે સોમવારે એમ્બેસીમાંથી માહિતી મળશે. દરમિયાન વિદેશ મંત્રાલયે અમેરિકા અને કેનેડામાં ભારતીય રાજદૂત સાથે વાત કરતા ચાર લોકોના મૃત્યુ અંગે વધુ માહિતી આપી હતી. આ ગમખ્વાર ઘટનામાં જીવ ગુમાવનારા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, ધાર્મિક પટેલ અને ગોપી પટેલનો સમાવેશ થાય છે
બે મહિના પહેલા જ પરિવાર રહેવા આવ્યો
ગાંધીનગરના ડિંગુચાનો પટેલ પરિવાર હજુ બે મહિના પહેલા જ કલોલમાં શિફ્ટ થયો હતો. કલોલના ગ્રીન સિટીમાં આવીને વસેલા આ પરિવારે હમણાં જ મકાનનું રીનોવેશન કરાવ્યું અને ત્યાર બાદ સ્થાયી થયા હતા. જગદીશ બલદેવ ભાઈ પટેલ, તેમના પત્ની વૈશાલી પટેલ, ધાર્મિક અને ગોપી પટેલનાં આકસ્મિક મોતથી પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જો કે, પિતા કેટલીક બાબતોથી અજાણ છે. તેઓ ડિંગુચામાં સ્થાયી છે.