ગેરકાયદેસર લાયન શો યોજવા મામલે નવો ખુલાસો થયો છે,લાયન શો જે ફાર્મ હાઉસમાં થયો હતો તે પોલીસકર્મનું ફાર્મ હાઉસ હોવાનું સામે આવ્યું છે
સિંહની પજવણીને લઇ મોટો ખુલાસો
મેંદરડામાં સિંહની કરાઇ હતી પજવણી
ફાર્મ હાઉસ પોલીસકર્મીનું હોવાનું આવ્યું સામે
જૂનાગઢમાં ગેરકાયદેસર લાયન શો યોજી સિંહની પજવણી કરવાનો મામલો સામે આવ્યો હતો.. જે બાદ સમગ્ર મામલે હાઈકોર્ટમાં સિંહના રક્ષણને લઈને એક જાગૃત નાગરિક દ્વારા અરજી પણ કરવામાં આવે હતી.. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર પણ લગાવી હતી.. જો કે ગેરકાયદેસર લાયન શો યોજવા મામલે નવો ખુલાસો થયો છે.. લાયન શો જે ફાર્મ હાઉસમાં થયો હતો તે પોલીસકર્મનું ફાર્મ હાઉસ હોવાનું સામે આવ્યું છે.. આ ફાર્મ હાઉસ પોલીસકર્મીના પત્ની અને સાસુના નામે હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે..ગુંદિયાળીના શખ્સે સિંહને મારણ આપ્યું જેમાં લાયન શો નિહાળવા આવેલા લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે..
સિંહની પજવણીને લઇ મોટો ખુલાસો
મહત્વનું છે કે ગઈ કાલે હાઈકોર્ટ સરકારને નિર્દેશ કરતા કહ્યું હતું કે ભવિષ્યમાં સિંહો જોવા હોય તો શાંતિથી તેમને જીવવા દો, સિંહોની પજવણીને લઇ હાઇકોર્ટની લાલઆંખ, ગુજરાત હાઇકોર્ટે ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો હતો.સિંહોની પજવણીને લઈને કોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે ભવિષ્યમાં સિંહો જોવા હોય તો તેમને શાંતિથી જીવવા દો, સિંહોની સુરક્ષાને લઈને સરકાર નીતિ બનાવે અને જો સરકાર નીતિ નહીં બનાવે તો કોર્ટ સુચન કરશે, એટલું જ નહીં હાઈકોર્ટે રાજ્યમાં સિંહોની સુરક્ષા મુદ્દે સરકારને એમ પણ કહ્યું હતું કે અન્ય દેશના નેશનલ પાર્કની નીતિનો અભ્યાસ કરો, ગુજરાતમાં વસતા એશિયાટીક સિંહ એ ગુજરાત જ નહીં સમગ્ર દેશનું ગૌરાવ છે..સાસણમાં સિંહને જીપના ઘેરાની ઘટના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરતા સફારી પાર્કમાં માનવીય પ્રવૃતિઓનો ઘટાડો કરવાનો નિર્દેશ કર્યો હતો..
ફાર્મ હાઉસ પોલીસકર્મીનું હોવાનું આવ્યું સામે
મહત્વનું છે કે ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે જીપ્સીઓ ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી..તેમાં એવી રજૂઆત કરાઇ છે કે ટુરિસ્ટને સિંહ-સિંહણ દર્શન કરાવવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે તેના લીધે સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભુ થઇ રહ્યુ છે, જેને લઈને હાઈકોર્ટે ગીરમાં સિંહ દર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ કર્યો છે આ આ મામલે 3 ડિસેમ્બરે કેસની વધુ સુનાવણી હાથ ધરાનાર છે.