કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી આગામી એક અઠવાડિયાાં દેશમાં ઘઉંના ભાવ ઘટવાનું શરુ થઈ જશે.
મોંઘવારીની વચ્ચે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર
એક અઠવાડિયામાં ઘટવા લાગશે ઘઉંના ભાવ
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ આપી માહિતી
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકો માટે એક સારા સમાચાર છે. સરકારે ઘઉંના સ્ટોક અને તેના ભાવને લઈને મોટો નિર્ણય લીધો છે. ઘઉંની નિકાસ પર કેન્દ્રના પ્રતિબંધ બાદ એક અઠવાડિયામાં ભારતમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે. હાલમાં મણ દીઠ 550-600 રુપિયાના ભાવે ઘઉં વેચાઈ રહ્યાં છે જે આગામી અઠવાડિયમાં ઘટીને 450 રુપિયાની આજુબાજુ આવી શકે છે.
એક સપ્તાહમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, એક સપ્તાહમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે. ઘઉં સસ્તા થવાથી લોટના ભાવ પણ ઘટશે. સુધાંશુ પાંડેએ એવી પણ માહિતી આપી હતી કે, દેશમાં ઘઉંનો જથ્થો જળવાઈ રહે તે માટે ઘઉંની નિકાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને કોઈ પણ સંજોગોમાં ઘઉંનો સ્ટોક ઘટશે નહીં.
સસ્તા ઘઉં અને ખાદ્યતેલ
સુધાંશુ પાંડેએ જાણકારી આપી છે કે ખાદ્ય તેલ સસ્તુ થવા લાગ્યું છે. ટૂંક સમયમાં જ ઇન્ડોનેશિયા તેની સમીક્ષા કરશે, ત્યારબાદ તેલની કિંમતમાં વધુ ઘટાડો થશે. વાસ્તવમાં ઇન્ડોનેશિયામાં વિશ્વમાં સૌથી વધુ પામ ઓઇલ છે. પરંતુ આ સમયે ઇન્ડોનેશિયાએ તેલની નિકાસ બંધ કરી દીધી છે. જોકે ઇન્ડોનેશિયા આટલું પામ ઓઇલનો વપરાશ કરવામાં અસમર્થ છે, પરંતુ તે ચોક્કસપણે પામ ઓઇલની નિકાસ કરશે.
ચોખાનો પુરવઠો વધારવામાં આવશે
પીડીએસમાં અનાજની ફાળવણી અંગે સરકારે નવો આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત જે વિસ્તારોમાં ઘઉંનો જથ્થો વધારે હતો ત્યાં ચોખાનો પુરવઠો વધારવામાં આવશે, હવે તે બંધ કરવામાં આવશે અને ચોખાનો પુરવઠો વધારવામાં આવશે. આ સાથે સરકાર ઘઉંના સ્ટોકને બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહી છે.
સરકારે ઘઉંની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે આગામી દિવસોમાં ઘઉંની કિંમતોમાં ઘટાડો આવશે.
કેટલા ઘટી શકે ઘઉંના ભાવ
હાલમાં મણ દીઠ 550-600 રુપિયાના ભાવે ઘઉં વેચાઈ રહ્યાં છે જે આગામી અઠવાડિયમાં ઘટીને 450 રુપિયાની આજુબાજુ આવી શકે છે.