ઇન્સેન્ટિવ રિબેટ યોજના 31 માર્ચ સુધી લાગુ કરવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરિવાર મિલકત ટેક્સના વ્યાજમાં રાહત આપશે. AMC 6 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી આ રિબેટ યોજના લાગુ કરશે. જેમાં ચાલુ વર્ષ સિવાયનો બાકી મિલ્કત વેરાના વ્યાજમાં ઈન્સેન્ટિવ આપશે.
AMC ફરીવાર વ્યાજ માફ કરશે
AMC વ્યાજની રકમ માટે ઇન્સેન્ટિવ રિબેટ યોજના લાગુ કરશે, 6 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લાગુ કરવામાં આવશે. આ સ્કિમ ત્રણ તબક્કામાં લાગુ કરવાનું જણાવાયુ છે. 6થી 31 જાન્યુઆરીમાં પ્રથમ તબક્કો, 1થી 28 ફેબ્રુઆરીમાં બીજો તબક્કો, 1થી 31 માર્ચમાં ત્રીજો તબક્કો લાગુ થશે. જેમાં રેસીડેન્સિયલ તથા કોમર્શિયલ એમ બન્ને પ્રકારની મીલકતમાં વ્યાજમાં ઈન્સેન્ટિવ આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, AMCમાં મિલકતોના ટેક્સનું કુલ 3400 કરોડ રૂપિયા વ્યાજ ઉઘરાવવાનું બાકી છે.