ICUમાં ઓક્સિજન સપોર્ટ પર રહેલા બાળકની ઓક્સિજનની નળી નીકળી જતાં તેની માતાએ તબીબને બોલાવ્યો પણ સાહેબ સૂઈ ગયા હોઇ આવવામાં મોડું થયું અને બાળકે જીવ ગુમાવ્યો
ઓક્સિજનની નળી નીકળી જતાં માતાએ તબીબને બોલાવ્યો હતો
તબીબ ઊંઘતા હોવાથી 15 મિનિટ મોડા આવતા બાળકે જીવ ગુમાવ્યો
સુરત સિવિલના એક તબીબની ગંભીર બેદરકારીને કારણે 7 વર્ષીય બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વિગતો મુજબ 7 વર્ષીય બાળક ICUમાં ઓક્સિજન સપોર્ટ પર હતો. જોકે બાળકની ઓક્સિજનની નળી નીકળી જતાં તેની માતાએ તબીબને બોલાવ્યો હતો. આ તરફ તબીબ સૂઈ ગયો હોઇ 15 મિનિટ મોડો આવતા બાળકનું મોત થયું હતું. ઘટનાને લઈ મૃત બાળકના પરિવારજનો ઘેર શોકમાં ગરકાવ થઈ ગયા છે.
સુરત સિવિલમાં 7 વર્ષીય બાળક ICUમાં ઓક્સિજન સપોર્ટ પર હતો. આ બાળકની ઓક્સિજનની નળી નીકળી જતાં માતાએ તબીબને બોલાવ્યો હતો, પરંતુ તબીબ ઊંઘતો હોવાથી 15 મિનિટ મોડો આવ્યો હતો. જેને કારણે બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટના બાદ તબીબો પોતાની ભૂલ સ્વીકારીને બાળકના પરિવાર પાસે માફી માગી હતી.
તબીબની ઊંઘે લીધો બાળકનો જીવ
સુરત સિવિલમાં 7 વર્ષીય બાળક ICUમાં ઓક્સિજન સપોર્ટ પર હતો. આ બાળકની ઓક્સિજનની નળી નીકળી જતાં માતાએ તબીબને બોલાવ્યો હતો, પરંતુ તબીબ ઊંઘતો હોવાથી 15 મિનિટ મોડો આવ્યો હતો. જેને કારણે બાળકનું મૃત્યુ થયું છે.
તબીબે ભૂલ સ્વીકારી પરિવારની માફી માંગી
બાળકની ઓક્સિજનની નળી નીકળી જતાં તબીબને બોલાવવા જતાં તે સૂઈ ગયો હતો. જેથી 15 મિનિ મોડો આવતા બાળકનું મોત થયું હતું. જેને લઈ તબીબે પોતાની ભૂલ સ્વીકારીને બાળકના પરિવાર પાસે માફી માગી હતી.
કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ થશે કાર્યવાહી
સુરત સિવિલમાં તબીબની બેદરકારીને કારણે બાળકના મોત બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ હવે ઘટના બાબતે તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ તબીબ પર કાર્યવાહી કરવામાં આવશે.