સુરતના પાંડેસરામાં માસૂમ બાળકને તાત્કાલીક સારવાર ન મળતા જીવ ગુમાવ્યો છે, કર્ફ્યૂના કારણે કોઈ સાધન ન મળતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
કર્ફ્યૂ એક બાળકી માટે બન્યો કાળ!
ન મળી શકી સમયસર સારવાર
કર્ફ્યૂને કારણે રિક્ષા ન મળી
સુરતના પાંડેસરામાં સારવારના અભાવે એક 5 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે. સુરતમાં સહિત 4 મહાનગરમાં કર્ફ્યૂને કારણે વાહનો મળી રહ્યા નથી. જેનું શિકાર એક બાળકીને બનવું પડ્યું છે. રિક્ષા કે, અન્ય સાધન ન મળતા બાળકીને સમયસર સારવાર મળી શકી નહીં. રાત્રીના સમયે બાળકીને 5થી વધુ વખત ડાયરિયા અને ઉલટી થઇ હતી. બાળકીની તબીયત વધારે ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માતાએ દોટ મૂકી હતી. તાત્કાલિક સારવાર ન મળતા રસ્તામાં જ માસૂમ બાળકીએ જીવ ગુમાવી દીધો છે.
બાળકીને એકાએક ઝાળા ઉલટીના કારણે માતાને સમજાયું કે, બાળકીને તાત્કાલિક સારવારની જરૂર છે. પરંતુ બાળકીના પિતા કામ પર ગયા હતા. અને ઘરે હાજર નહોતા. તો બીજી તરફ શહેરમાં કર્ફ્યૂના કારણે વાહન ચાલકો પણ 9 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી જાય છે. માતા પોતાની બાળકીને લઈ હોસ્પિટલ જવા માટે તો નીકળી ગયા...પરંતુ રસ્તાઓ સૂમશાન હતા. બીજી તરફ આ એક એવો પરિવાર હતો. જેના ઘરમાં માતા પાસે ફોન પણ નહોતો. કે, તે કોઈ એમ્બ્યૂલન્સને ફોન પણ કરી શકે. માતાએ બાળકીને લઈ હોસ્પિટલ તરફ દોડ મૂકી પણ બાળકી માટે મોડું થઈ ગયું હતું.
એક તરફ શહેરમાં કર્ફ્યૂ હતું. તો બીજી તરફ માતા કોઈને જાણ કરી શકે. તેવી સ્થિતિ પણ નહોતી. માતાએ હાર ન માનતા બાળકીને ખભે લઈ હોસ્પિટલ તરફ દોડ મુકી હતી. પરંતુ માતા બાળકીને લઈ સોસિયો સર્કલ નજીક પહોંચી ત્યારે બાળકીએ જીવ ગુમાવી દીધો હતો. માહિતી પ્રમાણે સવાર સુધી બાળકી સ્વસ્થ હતી. પરંતુ એકા-એક ઝાડા-ઊલટી થતા તબીયત એકા-એક બગડી હતી.