સુરતમાં 26 વર્ષીય ડોક્ટરે મેરિટમાં સ્થાન ન મળતા ગળેફાંસો ખાધો. 265 માર્કસવાળાને મેરિટમાં સ્થાન પરંતુ 435 માર્કર્સ હોવા છતાં મેરિટમાં નામ ન હતું.
સુરતમાં 26 વર્ષના ડોક્ટરે કરી આત્મહત્યા
435 માર્કર્સ છતાં મેરિટમાં ન મળ્યુ સ્થાન
265 માર્કસ વાળાને મેરિટમાં થયા ક્વૉલિફાય
મહેનત તમે કરો અને જશ કોઇ બીજુ લઇ જાય તો કેવુ લાગે. ? એવુ જ લાગે જ્યારે તમે પ્રથમ નંબરે પાસ થાઓ પણ ઇનામ છેલ્લા નંબર વાળાને મળે. આવુ જ કંઇક જોવા મળ્યુ સુરતમાં. સુરતમાં 26 વર્ષનો યુવા ડોક્ટરે NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષામાં 435 માર્કર્સ મેળવ્યા તેમ છતાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન ન મળતા મોતને વ્હાલુ કર્યુ.
ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત
ડો. શ્રેયસ મોદીએ સ્મિમેરમાંથી MBBSની પરીક્ષા પાસ કર્યા બાદ MD-એનેસ્થેસિયાનો અભ્યાસ કરવા માટે NEETની આપી હતી. જેમાં તેમને 435 માર્ક આવ્યા છતાં પણમેરિટ લિસ્ટમાં નામ ન આવ્યુ. તો બીજી તરફ નવાઇની વાત તો એ છે કે ઘણા લોકો માત્ર 265 માર્કર્સે પણ ક્વોલિફાય થઇ ગયા હતા. પરંતુ સારા માર્કર્સ હોવા છતાં પણ મેરિટમાં પોતાનું નામ ન આવતા ડોક્ટર શ્રેયસ મોદીએ હતાશ થઇને ગળેફાંસો ખાઇ લીધો.
MD એનેસ્થેસિયામાં પ્રવેશ માટે કરી હતી તૈયારી
મળતી માહિતી મુજબ ડૉ.શ્રેયસ દીપકકુમાર મોદી અડાજણ સુરભિ રો-હાઉસમાં રહેતા હતા. તેમના પિતા દીપકકુમાર મોદી હીરાના વેપારી છે. ડો. શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરીને પરીક્ષા આપી હતી.
સળગતા સવાલ
435 માર્કર્સ છે તો મેરિટમાંથી નામ ગાયબ કેમ ?
265 માર્કર્સ વાળાને મેરિટમાં કેવી રીતે સ્થાન મળી ગયુ?