હે ભગવાન, ક્યારે અટકશે આ વિકૃતતા, બનાસકાંઠા જિલ્લાના એક નાનકડાં ઝાત ગામમાં 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી ચાર નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા નજીક આવેલા નાનકડાં ગામ ઝાતમાં સામુહિક બળાત્કારની ઘટના બનતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પાંથાવાડા પોલીસે આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ આરોપીઓની શોધ કરવા સાથે આગળની સઘન તપાસ કરી રહી છે. દુષ્કર્મ કરનાર ચાર નરાધમો સામે ફરિયાદ નોંધાઈ છે. અને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એકાએક આવેલાં ચાર નરાધમોએ 14 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું અને આગળ ઝાળીઓમાં જઈ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. એક જ અઠવાડિયામાં રાજ્યમાં પાંચમી બળાત્કારની ઘટના બની છે. સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ બાદ આ પાંચમો બળાત્કારનો કેસ આજે નોંધાયો છે.