સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું કે બહું જલ્દી 100 કરોડ ડોઝનો ટાર્ગેટ પુરો કરીશું
16 જાન્યુઆરીથી શરુ થયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં 99 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. જલ્દી દેશમાં 100 કરોડ રસી લગાવવાનું લક્ષ્ય પુરુ કરી દેવામાં આવશે. દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું કે આપણે 99 કરોડના આંકડા પર છીએ. તેમણે કહ્યું કે અમે સતત 100 કરોડ રસીના ટાર્ગેટને પુરુ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.
ગત દિવસોમાં માત્ર 13, 058 નવા કેસ મળ્યા છે. આ આંકડા ગત 231 દિવસમાં સૌથી ઓછા છે. એક તરફ નવા કેસોમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ 24 કલાકમાં લોકોને કોરોના સંક્રમણને હરાવ્યું છે. આ સાથે જ એક્ટિવ કેસોનો આંકડો પણ ઘટતા 1, 83, 118ના સ્તર પર આવી ગયો છે. જે 227 દિવસમાં સૌથી ઓછો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનો રિકવરી રેટ તેજીથી વધતા 98.14 ટકા થઈ ગયો છે. જે માર્ચ 2020 બાદથી સૌથી વધારે છે. અત્યાર સુધી દેશમાં 3.34 કરોડથી વધારે લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. ટકાવારીના હિસાબથી કુલ મામલાની સરખામણીએ એક્ટિવ કેસ હાલમાં 0.54 ટકા છે. આ ગત દોઢ વર્ષનો સૌથી નીચલુ સ્તર છે. એટલું જ નહીં વીકલી પોઝિટિવિટી રેટ પણ તેજીથી ઘટતા 1.36 ટકા રહી ગયો છે. આ ઉપરાંત ડેલી પોઝિટિવિટી રેટ હવે 1.11 ટકા બચ્યો છે. આ આંકડો ગત 50 દિવસોમાં સૌથી ઓછો છે.
કદાચ ત્રીજી લહેર હવે નહીં આવે
કોરોના સંક્રમણના દેશો સતત મળતી રાહતથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ ત્રીજી લહેર હવે નહીં આવે. ઉલ્લેખનીય છે કે એક્સપર્ટ્સે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર દરમિયાન ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરી હતી.