દેશ માટે બીજા વિશ્વયુદ્ધમાં જંગ લડનાર જવાનના પત્ની 95 વર્ષની ઉંમરે 6000નું પેન્શન લેવા દર ચોથા મહિને 900 કિમીનું અંતર કાપવા મજબૂર.
95 વર્ષના વિધવા પેન્શન માટે 900 કિમીનું અંતર કાપવા મજબૂર
છેલ્લાં 20 વર્ષથી ઉત્તરપ્રદેશના બલિયાના ધક્કા ખાઇ રહ્યાં છે
પતિ હતા રાજપૂત રેજિમેન્ટના સૈનિક, બીજા વિશ્વયુદ્ધમાં લડ્યા હતા
છત્તીસગઢના 95 વર્ષના વિધવા લલિતા દેવી પેન્શન માટે દર ચોથા મહિને 900 કિમીનું અંતર કાપવા મજબૂર છે. લલિતા દેવીને 6 હજાર રૂપિયાનું પેન્શન મળે છે. આ પેન્શન લેવા માટે તેઓ છેલ્લાં 20 વર્ષથી ઉત્તરપ્રદેશના બલિયાના ધક્કા ખાઇ રહ્યાં છે.
Chhattisgarh | A World-War 2 soldier's 95 yrs old widow compelled to travel from Bilaspur to Ballia in UP to collect her pension from last 20 yrs
We requested pension be given in Bilaspur but that didn't happen. Now, district officials has taken cognisance of it, says her son pic.twitter.com/BJ99sQbOzR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 20, 2022
છેલ્લાં 10 વર્ષથી તેઓ મુસાફરી કરવાની સ્થિતિમાં નથી
ઉલ્લેખનીય છે કે, લલિતા દેવી બીજા વિશ્વયુદ્ધના સૈનિક રણજીત સિંહના પત્ની છે. તે બલિયામાં હોવા છતાં છેલ્લા બે દાયકાથી બિલાસપુરમાં રહે છે. બિલાસપુર આવ્યા બાદ તેમને જીવિત હોવાની સાબિતી આપવા માટે દર ચાર મહિને બલિયા જવું પડે છે. અગાઉ, તેમને તેમના પુત્ર સાથે બલિયાની મુસાફરી કરતા હતા પણ પરંતુ છેલ્લાં 10 વર્ષથી તેઓ મુસાફરી કરવાની સ્થિતિમાં નથી. પુત્રની 70 ટકા આંખોની રોશની પણ ઘટી ગઈ છે.
આ કારણે તેમને છેલ્લાં ઘણા સમયથી બિલાસપુરના અધિકારીઓને અરજી કરીને પેન્શનને બલિયાથી બિલાસપુર શિફ્ટ કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ સુનાવણી નથી થઈ. એક બાજુ લલિતા દેવીના પતિ દેશ માટે લડ્યા હતા. તેમના સસરા પણ ઉત્તરપ્રદેશમાં સ્વાતંત્ર્ય સેનાની રહી ચૂક્યાં છે ત્યારે આ દેશભક્ત પરિવારની વિધવાને 95 વર્ષની ઉંમરે પરેશાન થવું પડે તે કેટલું યોગ્ય?
પતિ રાજપૂત રેજિમેન્ટના સૈનિક હતા
બે વર્ષ પહેલાં તેઓએ બલિયાના બદલે બિલાસપુરથી પેન્શન મેળવવા માટે બિલાસપુર સૈનિક કલ્યાણ બોર્ડમાં અરજી કરી હતી. ત્યાર બાદ પણ ત્યાંથી કોઈ રાહત નહીં મળી. વિશ્વયુદ્ધમાં 3 વર્ષ સુધી લડનાર લલિતા દેવીના પતિ રણજીત સિંહ રાજપૂત રેજિમેન્ટના સૈનિક હતા. તેઓ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના માહલીપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હતા. રણજીત સિંહ 1942 થી 1945 દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં લડ્યા અને સેનામાંથી નિવૃત્ત થયા. 2003માં તેઓનું અવસાન થયું.
પુત્ર પણ થઇ ચૂક્યો છે નિવૃત્ત
લલિતા દેવીના પુત્ર આર.કે સિંહ પણ 67 વર્ષના થઈ ગયા છે. તેઓ કૃષિ વિભાગના સેવાનિવૃત્ત અધિકારી છે. તેઓને આંખેથી ઓછું દેખાય છે. ઘરમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જે લલિતા દેવીને બલિયામાં રાખીને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી પેન્શનને બિલાસપુરમાં ટ્રાન્સફર કરાવી શકે. આ સમસ્યા જાણ્યા બાદ પણ અહીના અધિકારીઓ મદદ નથી કરતા.
NOC પછી જ મદદ કરી શકાશે
બિલાસપુરમાં સૈનિક કલ્યાણ બોર્ડના જિલ્લા અધિકારી કુલદીપ સેંગર કહે છે કે, આવાં કિસ્સાઓમાં પેન્શનરનું જે રાજ્યમાં રજીસ્ટ્રેશન થયું હોય ત્યાંની NOC જરૂરી છે. જો દસ્તાવેજો બલિયાથી ટ્રાન્સફર થયા પછી આવે તો અહીંથી તેમનું પેન્શન શરૂ કરી શકાય છે. એ નિયમ એવો છે કે, પેન્શનરનું ફિઝિકલ વેરિફિકેશન દર 3 મહિને જરૂરી છે. આથી તેમને જવું પડી રહ્યું છે, પછી જ તેમને રૂપિયા મળે છે.