કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલે વલસાડ રેલવે સ્ટેશનના નવિનીકરણના આકર્ષક ફોટા સાથે ટ્વીટ કરતા વલસાડ રેલવે સ્ટેશનની સુંદરતા ચર્ચાનું કેન્દ્ર બની છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના રેલવે સ્ટેશનોને આધુનિક ઓપ આપવામાં આવી રહ્યો છે. રેલવે મંત્રી દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં દાવો કરવામાં આવેલ છે કે વલસાડ રેલવે સ્ટેશનને સ્વચ્છની સાથે સુંદર પણ બનાવવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક વારસો પણ જાળવવામાં આવ્યો છે. ત્યારે વીટીવી દ્વારા આ ટ્વીટ અંગે વલસાડ રેલવે સ્ટેશનનું રિયાલિટી કરવામાં આવ્યું છે. ત્યારે આવો આપને બતાવીએ કેટલી સચ્ચાઈ આ ટ્વિટમાં છે.
વલસાડ રેલ્વે સ્ટેશનની કાયાપલટ
રેલવે સ્ટેશન અને બસ સટેશનની મુલાકાત દરિમયાન આપણને ખખડધજ બિલ્ડિંગ આસપાસ ગંદકી અને અવ્યવસ્થા જોવા મળતી હોય છે. જોકે મોદી સરકારના પ્રયાસને કારણે હવે એક પરિવર્તન થવા જઈ રહ્યું છે. રાજ્યના વડોદરા જેવા શહેરમાં આધુનિક બસ સટેશન બાદ હવે રાજ્યમાં રેલવે સટેશનની પણ કાયાપલટ થવા જઈ રહી છે. અત્યારે વલસાડ રેલ્વે સ્ટેશનની કાયાપલટ થઈ ગઈ છે. રેલવે વિભાગ દ્વારા 1925માં બંધાયેલ વલસાડ રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે.
બિલ્ડિંગનો હેરિટેજ બિલ્ડિંગમાં સમાવેશ
વલસાડ રેલવે સ્ટેશનનું આ બિલ્ડિંગ બ્રિટિશ કાળનું હોવાથી આ બિલ્ડિંગનો હેરિટેજ બિલ્ડિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું બાંધકામ બ્રિટિશ શૈલીમાં છે. આથી આ ઐતિહાસિક વારસાને જાળવવાની સાથે તેને આકર્ષક અને આધુનિક સુવિધા સભર કરવામાં આવી રહ્યું છે. સાથે જ વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અને ટીકીટ કાઉન્ટર સાથે વેઇટિંગ રૂમમાં પણ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આથી વલસાડના રેલવે સ્ટેશનની થઈ રહેલી કાયાપલટથી દરેક વલસાડવાસી ગર્વ અનુભવી રહ્યો છે.
Valsad Railway Station in Gujarat has been upgraded and looks like a quaint European station with modern amenities.
With LED lights, tiled floors, impressive architecture and clean platforms, Railways is offering a never-before journey experience to passengers. pic.twitter.com/2fBecHkcz1
મહત્વપૂર્ણ છે કે વલસાડ રેલવે સ્ટેશન પર અગાઉ સામાન્ય રીતે ગંદકી અવ્યવસ્થા જોવા મળતી. સાથે ફૂટ ઓવરબ્રીજના અભાવે લોકો જોખમી રીતે જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક પસાર કરવા મજબુર હતા. જોકે છેલ્લા 6 માસથી વલસાડ રેલવે સ્ટેશનને આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવી છે. તો યાત્રીઓને બેસવા સુંદર વ્યવસ્થા સાથે સાથે જ નવી ટીકીટ બુકિંગ વિભાગ, આધુનિક સુવિધા સભર વેઈટીંગ રૂમ, મહિલા પ્રવાસીઓની પણ સુરક્ષાને ધ્યાને રાખી વલસાડ રેલવે સ્ટેશન પર અલગથી મહિલા વેઇટિંગ રૂમ અને અન્ય વિભાગોના નવીનીકરણ સાથે રૂપિયા 11 કરોડથી વધુના ખર્ચે અનેક સુવિધાઓ ઉભી થઈ રહી છે. જેનું હજુ તો માત્ર 75 ટકા જ કા પૂરું થયું છે. જોકે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વલસાડ રેલવે સ્ટેશનના થઈ રહેલા બ્યુટીફીકેશનના ફોટા સાથે ટ્વીટ કરતા અત્યારે વલસાડ રેલ સ્ટેશનની સુંદરતા ચર્ચાનું કેન્દ્ર બની છે. આથી વલસાડવાસીઓ પણ ગર્વ અનુભવી રહ્યા છે.
ઐતિહાસિક વારસાની જાળવણી સાથે તેની સુંદરતા વધે તે હેતુ
દેશની આર્થિક રાજધાની મુંબઈને દેશની રાજકીય રાજધાની દિલ્હીને રેલવે માર્ગે જોડતા રેલવે ટ્રેક પર વલસાડનું રેલવે સ્ટેશન આવેલું છે. જેનો વર્ષોથી A ગ્રેડના રેલવેસ્ટેશનમાં સમાવેશ કરવામાં આવેલો છે. તેમ છતાં અત્યાર સુધી વલસાડ રેલવે સ્ટેશન વિકાસથી વંચિત હતું. પરંતુ વર્ષ નવેમ્બર 2018થી વલસાડ રેલવે સ્ટેશનને જે રીતે સજાવવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક વારસાની જાળવણી સાથે તેની સુંદરતા વધે તે માટેના કેન્દ્ર સરકારના પ્રયાસને લોકો આવકારી રહ્યા છે. ત્યારે આ ઐતિહાસિક વારસો અને સુંદરતાને જાળવણી જવાબદારી વલસાડ વાસીઓની પણ રહેશે. ત્યારે રેલવેમંત્રી પિયુષ ગોયલના ટ્વીટમાં સચ્ચાઈ જોવા મળી રહી છે. આવતા ટૂંક સમયમાં વલસાડનું વલસાડ રેલવે સ્ટેશનની સાચા અર્થમાં કાયાપલટ થઈ રહી છે.