મુંબઇ: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ પસાર કર્યો છે કે ઇચ્છા મુત્યુની મંજૂરી આપવામાં આવે. આ તર્જ પર મહારાષ્ટ્રના બુલઢાણામાં 91 ખેડૂતોએ રાજ્યપાલ પાસે ઇચ્છામૃત્યુની પરવાનગી માંગી છે.
મહારાષ્ટ્રમાં બુલઢાણા જિલ્લાના ખામગામં તહસીલના 11 ગામના 91 ખેડૂતોએ ઉપવિભાગીય અધિકારીના માધ્યમથી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આપવા આવેલ પત્રમાં ઇચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે.
રાષ્ટ્રીય રાજ્યમાર્ગ સંખ્યા 6 પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અમરાવતીથી નવાપુર સુધઈ આ રાજમાર્ગને ચાર લેનનો બનાવવામાં આવી રહ્યો છે જેમાં ઘણા ખેડૂતોની ખેતીની જમીન રાજ્ય પ્રશાસનને હસ્તગત કરી લીધી છે.
ખેડૂતોનો આરોપ છે કે સરકારે એમને વળતર ખૂબ જ ઓછું આપ્યું છે. શાસનના આ વલણથી ખેડૂતો નારાજ છે. ખેડૂતો ઊંચા વળતરની માંગને લઇને છેલ્લા 1 મહિનાથી ઉપવાસ કરી રહ્યા છે. પરંતુ શાસને એમની માંગની અદેખાઇ કરી છે. એ કારણથી ખેડૂતોએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલથી ઇચ્છા મૃત્યુની પરવાનગી માંગી છે.