જોર્ડનના પુરાતત્વવિદોએ શોધી કાઢ્યું મંદિર. છેલ્લા એક વર્ષથી તેઓ આ સ્થળે સતત સંશોધન અને ખોદકામ કરી રહ્યા હતા.
મુસ્લિમ દેશમાંથી મળ્યુ મંદિર
9000 વર્ષ જૂનુ મંદિર હોવાનો દાવો
જોર્ડનમાં પુરાતત્વવિદોએ શોધી કાઢ્યુ મંદિર
આપણા દેશમાં વિવિધ હિંદુ મંદિરો છે. તેમાં પણ કેટલાક મંદિરો તો પૌરાણિક કાળથી આજ દિન સુધી અડીખમ છે. પરંતુ એક આશ્ચર્ય થાય તેવી એક બાબત સામે આવી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાંથી મંદિર મળી આવ્યુ છે. જાણીને નવાઇ લાગે પરંતુ આ સત્ય છે. જોર્ડનમાં પુરાતત્વવિદોને ખોદકામ દરમિયાન મંદિર મળી આવ્યુ. ફ્રેન્ચ પુરાતત્વવિદોએ પૂર્વીય રણમાં હજારો વર્ષ જૂના મંદિરની શોધ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ મંદિર લગભગ 9 હજાર વર્ષ જૂનું છે.
9 હજાર વર્ષ જૂનું મંદિર
જોર્ડનના પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ જોર્ડન અને ફ્રેન્ચ પુરાતત્વવિદોની ટીમે મંગળવારે જણાવ્યું હતું કે તેમને જોર્ડનના પૂર્વ રણમાં એક દૂરસ્થ નવપાષાણ સ્થળ પર લગભગ 9,000 વર્ષ જૂનું મંદિર મળ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદિરની લાંબી લાંબી દીવાલો, જે એક તરફ મળે છે જેને મધ્ય પૂર્વના રણમાં શોધવામાં સફળતા મળી છે.
જોર્ડનના અધિકારીઓએ શું કહ્યું?
પ્રોજેક્ટના સહ-નિર્દેશક અને જોર્ડનના પુરાતત્વવિદ્ વેએલ અબુ-અઝીઝાએ આ શોધને 'ચમત્કાર' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ એક અનોખી શોધ છે અને જે પણ અવશેષો મળ્યા છે તેને સંપૂર્ણ રીતે સાચવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ મંદિર લગભગ 9 હજાર વર્ષ જૂનું છે અને તે હજી પણ તેની જૂની સ્થિતિમાં અકબંધ છે. તેમણે કહ્યું કે આ મંદિર રેતીમાં દટાયેલું છે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
મંદિર કઈ સ્થિતિમાં જોવા મળ્યું?
જોર્ડનના પુરાતત્વવિદ્ વેએલ અબુ-અઝીઝાએ જણાવ્યું હતું કે, "આ મંદિરની અંદર બે કોતરેલા ઉભા પથ્થરો મળી આવ્યા છે, જેમાં માનવ-મુખી (માનવ-મુખી) આકૃતિઓ બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે મંદિરની અંદર રેગિસ્તાની પતંગ જેવી દેખાતી હવન કરવા જેવી વેદી મળી આવી છે. આ ઉપરાંત ચૂલો, સમુદ્રી ગોળા અને ગઝેલ નેટના નાના મોડેલો અહીં મળી આવ્યા છે.
"Archaeologists find 9,000-year-old shrine in Jordan desert”
This photo provided by Jordan Tourism Ministry shows two carved standing stones at a remote Neolithic site in Jordan's eastern desert. pic.twitter.com/37s6z52iPC
સંશોધકોએ કહ્યું છે કે, મંદિર 'પ્રતિકવાદ, કલાત્મક અભિવ્યક્તિ તેમજ અત્યાર સુધીની અજાણી નવપાષાણ વસ્તીની આધ્યાત્મિક સંસ્કૃતિ પર નવો પ્રકાશ પાડે છે.' નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અહીં જાળી પણ મળી આવી છે, જે દર્શાવે છે કે અહીં રહેતા લોકો દરિયાઈ માછલીનો શિકાર કરવામાં નિષ્ણાત હોવા જોઈએ અને અહીંથી મળેલી વસ્તુઓ દર્શાવે છે કે, આ વસ્તુઓ સાંસ્કૃતિક, આર્થિક અને પ્રતિકાત્મક રીતે તેમના જીવનના કેન્દ્રમાં હોવી જોઈએ.
ટીમમાં કોણ છે સામેલ
તમને જણાવી દઈએ કે પુરાતત્વવિદોની આ ટીમમાં જોર્ડનની અલ હુસૈન બિન તલાલ યુનિવર્સિટી અને ફ્રેંચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નીયર ઈસ્ટના પુરાતત્વવિદો સામેલ હતા. છેલ્લા એક વર્ષથી તેઓ આ સ્થળે સતત સંશોધન અને ખોદકામ કરી રહ્યા હતા.